SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ વધનામૃત-વિયન ૩૭૩ જ્ઞાનીની એક આજ્ઞા આરાધે તે પણ મેક્ષે લઈ જાય. જ્ઞાની જગતને તૃણવત્ જુએ છે. આત્માની સંભાળ લેશે ત્યારે કલ્યાણ થશે. મનુષ્યભવ રત્ન જેવે છે. ખાવાપીવામાં વખત જાય તે કોડી જેવું છે. (૧૬) બ્રહ્મચર્ય એવી વસ્તુ છે કે જેથી બધા વિષયે જીતી શકાય છે. એક વિષયને છતતાં જ સૌ સંસાર.” વિચારને અવકાશ મેળવે તે થાય. વિચારને અવકાશ મેળવે તે વિચાર થાય. પા કે અર્ધો કલાક વિચાર કરવાનું રાખ્યું હોય તે તેની અસર બીજા કામ કરતાં પણ રહે છે. ભાવના હોય તે નિવૃત્તિ મળી આવે છે. આત્મા ભણી વૃત્તિ થઈ હોય તે આત્માને લક્ષ રહે. કેઈ પણ કામ કરતાં દેશ, કાળ, નિવૃત્તિ અને માર્ગને વિચાર કર. ૨૮) વ્રત લેવું હોય તે પહેલાં સ્પષ્ટ કરવું કે એવી રીતે મારે વ્રત લેવું છે અને બીજાની સાક્ષીએ લેવું. વેચ્છાએ ન વર્તવું. વ્રતમાં આગાર રાખે છે, તે પણ કામ પડે તે તેમાં પિતે અધિકારી ન થવું. જ્ઞાનીની આજ્ઞાએ વર્તવું. (૨૯) “આત્મા છે” એવું પહેલાં દૃઢ કરવું. “આત્મા છે ત્યાંથી માંડીને મોક્ષના ઉપાય સુધી છ પદની શ્રદ્ધા કરવી. એની શ્રદ્ધા ન હોય તે પછી પુરુષ જરૂરના ન લાગે. મોહનીય કર્મ ઉત્કૃષ્ટ સિત્તેર કોટાકેટી સાગરોપમનું અંતમુહૂતમાં બંધાય છે. સાત હજાર વર્ષ સુધી એ ઉદયમાં પણ ન આવે. એટલામાં પાછું ક્ષય કરવું હોય તે કરી શકાય છે. બધાં કર્મોમાં મુખ્ય મોહનીય છે. એ મોહનીય ક્ષય કરવા મહાવીર ભગવાન બાર વર્ષ સુધી ઊંધ્યા નહીં, ખાધું પીધું નહીં, એક આંખ ચળવા જેટલી પણ દેહની સંભાળ લીધી નહીં. એક મહિને ક્ષય કરવા પુરુષાર્થ કરવા માંડયો. એવું આપણે કરવાનું છે. જીવ સમજે તે સરલ છે નહીં તે અનંત ઉપાયે પણ નથી. દેખાય છે તેને માટે બધું કરે છે, પણ આત્મા દેખાતું નથી તેને માટે કંઈ કરતું નથી. (૩૧). - બાલવું પડે તે રાગદ્વેષ રહિતપણે બેલવું, તે કર્મ ન બંધાય. કમ ન બંધાય એવું કરવાનું છે. ભગવાન પરમાર્થ સત્ય બેલે છે. કેઈ બેલે નહીં પણ રાગદ્વેષ કરે તે પણ કર્મ બંધાય. વ્યવહાર સત્ય ઘણુ વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થ સત્ય બોલવામાં આવ્યું નથી, માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યક્ત્વ થયે વસ્તુનું એાળખાણ થાય. આત્માને આત્મા અને જડને જડ જાણે. સદુદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રતીતિ થાય, પછી અભ્યાસ કરીને પરમાર્થ સત્ય બોલાય છે. માનને અર્થે તપ વગેરે કરતે હોય અને બહારથી આત્માથે કરું છું એમ દેખાડે તે અસત્ય જ છે. કારણ કે અંદર માનની ઈચ્છા છે તેથી અસત્ય જ છે. અંતરંગભાવને લઈને કર્મ બંધાય છે, બહાર ભલે ગમે તેવું હોય. માટે અંદરથી ચોકખા થવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે ચોખા થઈને આવે. ક્ષાયિક સમકિત હોય તે જ પરમાર્થ સત્ય બોલાય. (૩૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy