________________
વચનામૃત-વિવેચન
૩૬૩ સમજાયું નથી, પણ જ્ઞાની જાણે છે. પુરુષના ગે પૂછવું ન પડે. સહજે સમજાય. દીવાના પ્રકાશ જે પુરુષને સમાગમ છે. એ ભાવના કરવાની છે. મનુષ્યભવ મળે છે, ઉત્તમ વેગ મળે છે, એને લાભ લઈ લે. જેને એ વેગ ન હોય તેણે ભાવના કરવી કે કયારે મળશે? બીજી કલ્પનાઓ ન કરવી, સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ દુર્લભ છે. એ વેગ ન હોય તે સરખી વૃત્તિવાળા છ ભેગા થઈ જ્ઞાનીના માહાભ્યની વાત કરે તે સત્સંગમાં પણ અસંગપણું છે. મહાપુરુષને વેગ અને અસંગપણું તે પરમસત્સંગ છે. સરખી વૃત્તિવાળા ને સંગ તે પણ સત્સંગ છે. તે કર્તવ્ય છે.
[ વ. ૮૮૫].
૨૮૮ સદ્વર્તન વધે ત્યારે જ્ઞાનીની આજ્ઞા ઉઠાવાય. સત્પરુષની આજ્ઞા ઉઠાવે છે તે પુરુષની ભક્તિ કરે છે.
આજીવિકા અર્થે સદુઉદ્યમ કરવાનું છે. ગૃહસ્થ અવસ્થા હોય ત્યાં સુધી માગીને ખાવા જેવું નથી, સદુઉદ્યમ નીતિથી કરવાનું છે.
ઘણું વાંચવા કરતાં જ્ઞાનીની એક આજ્ઞા આરાધાય તે ઘણે લાભ થાય.
[વ. ૮૮૬ ]
૨૮૯ શ્રી. રાત્રે આ અગાસ, જેઠ વદ ૧૨, ૨૦૦૮ પૂજ્યશ્રી–બળવાન નિવૃત્તિ હોય ત્યારે પવનદીશાસ્ત્ર વાંચવું. વાંચતી વખતે મનવચનકાયાની પ્રવૃત્તિ ઓછી હોય તે વધારે સમજાય. ઘણી વખત જીવ બીજી વાત કરે અને પછી ફરી વાંચે તે એમાં ચિત્ત ચાટે નહીં. વાંચતી વખતે બીજી વાત ન કરવી. મહાપુરુષોએ જે વચને લખ્યાં છે તે આત્મ-ઉપયોગમાં રહીને લખ્યાં છે. વાંચનારને પણ એ આત્મઉપયોગને લક્ષ રાખીને વાંચવાનાં છે. માત્ર કોઈ જીવને ભગવાન પ્રત્યે વૃત્તિ ડાય એ અર્થે જ્ઞાનીએ વચને લખ્યાં છે. પવનંદી વગેરે વનમાં રચાયાં છે. એવાં શાસ્ત્રો એવા ક્ષેત્રમાં જ વંચાય તે ભાવે કુરે. માટે એકાંતમાં અવગાહવાયેગ્ય છે.
એક જ લક્ષ હય, મનવચનકાયા બીજા કામમાં ન વાપર, મન પુસ્તકમાં જ રાખે, બીજા આડાઅવળા વિચાર ન કરે, વચન પણ એમાં જ જેડે તે એ વચનો આત્મા સુધી પહોંચે છે. સંસ્કૃતના સંસ્કાર તે એને પરમપદ સુધી લઈ જાય છે.
[વ. ૮૮૭ ]
પૂજ્યશ્રી–મહાપુરુષને માર્ગ અગમ્ય છે, સરલ છે. સમજાય તે સરલ છે. “સમજ પી સબ સરલ હે” (હા. નં. ૧-૧૨) બીજેથી વૃત્તિ ઊઠે તે સરલ છે. પણ એ થવું મુશ્કેલ છે, તેથી અગમ્ય છે. સત્ છે તે સરલ છે, સુગમ છે, પણ અનંતકાળ થયે છતાં પ્રાપ્ત ન થયું તેથી અગમ્ય કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org