________________
૧૪
બધામૃત દિગંબર, વેતાંબર એવા ભેદ પાડવાનું કહ્યું નથી, પણ સમજણ નહીં હોવાથી એવું થાય છે. અહંભાવ છેડી વીતરાગ જે કહે તે જ સાચું છે એમ માન્ય કરવું. આ કાળમાં ધર્મ આરાધનામાં ઘણાં વિઘો આવતાં હેવાથી સસ્તુરુષને દુકાળ પડયા જેવું થયું છે. ભગવાનના કહ્યા પ્રમાણે ચલાય નહીં ત્યારે અમે ચાલીએ છીએ તેમ ભગવાને કહ્યું છે એમ કેટલાક માને છે. ભવભીરુ હોય તે એમ માને કે ભગવાને કહ્યું છે પણ મારાથી તે પ્રમાણે ચલાતું નથી. માન જીવને નડે છે. કાળને પ્રભાવ એ છે કે ઘણા પ્રકારના મતે પડતા જાય છે.
અનારાધક જીવ હોય તેને સાચો ધર્મ કર્યો હશે? તેની શોધ કરવાનું ન સૂઝે. દુષમકાળમાં જે પણ દુષમ એવા કમવાળા છે. પહેલાંના કાળમાં અને આ કાળમાં ફેર નથી, પણ જીવમાં ફેર છે. જે કાળમાં ઘણું મોક્ષે જતા હોય તે કાળ સારે ગણાય છે. ભગવાનનું કહેલું બધા માને એ જ કૃપાળુદેવને પુરુષાર્થ હતો. સુલભધિ હોય તેને એમ થાય કે તર્યા છે તે જ અમને તારશે. અહંભાવ-મમત્વભાવ આડા આવે છે. ધર્મ કરે છે એમ લાગતું હોય તે તેને કંઈ ગતાગમ જણાતી નથી. આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છાથી દીક્ષા લે એવા પુરુષે તો કેઈક જ હશે. ભગવાને શું કહ્યું છે, એ લક્ષ રાખનારા બહુ થોડા છે. [વ. ૪૭]
- ૧૦ શ્રી રા. આ અગાસ, શ્રા સુદ ૧૪, ૨૦૦૮ પૂજ્યશ્રી–સાત પ્રકૃતિ જ્યાં સુધી ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થાય નહીં, ત્યાં સુધી ગમે તેટલું ભણે, તે પણ દેહાધ્યાસ ન છૂટે. આત્માને કર્મ ન બંધાય એમ વર્તવાનું છે. અત્યારે જીવ શરીરને સંભાળે છે. શરીરમાં રહેલે આત્મા એને હવે સંભાળવાને છે. સાત પ્રકૃતિ ક્ષય થવા માટે છ પદ કહ્યાં છે. જ્ઞાન, દર્શન, ભક્તિ આરાધે તો દેહભાવ છૂટે. આત્મસિદ્ધિ” એ માટે લખી છે. જે જ્ઞાનીએ કહ્યું છે તે મારે માનવું છે, એમ જે જીવને થાય તે દેહભાવ છૂટે. પહેલું એ કરવાનું છે. જેને સમ્યગ્દર્શન થયું છે તેનાં વચનોની અને તેની શ્રદ્ધા કરવી. એમ કરવાથી કર્મ માર્ગ આપે છે. પહેલાં સત્સંગ કરીને જ્ઞાનીને ઓળખવા. પછી ભક્તિ જગાડવી, ત્યારે “સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ” રહેશે, એ ભક્તિનું ફળ છે. બહુ વિચારવાનું છે. ઘણુંય જીવે વાંચ્યું છે, પણ વિચાર્યું નથી. ઘણું વિચારવાનું છે.
“છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ;
નહીં ભક્તા તું તેહને, એ જ ધમને મર્મ.” ધર્મ સમજે ત્યારે કહેવાય કે જ્યારે દેહાધ્યાસ છૂટે. આત્માથી ભિન્ન વસ્તુઓમાં મેહ મારે રાખ નથી. દેહનું ગમે તેમ થાઓ, પણ મારે આત્માનું કલ્યાણ કરવું છે. એ માટે સદ્દગુરુને દેહ અર્પણ કરે. જ્ઞાની પુરુષે કહે છે કે દુઃખ થાય છે તે દેહને ધર્મ છે, તે તેમ માનવું. જ્ઞાની પ્રત્યે દષ્ટિ રાખવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org