________________
[વ. ૧]
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ,
આસો વદ ૧૨, ૨૦૦૮ પ્રથમ શતક-મંગલાચરણ કેઈએ કૃપાળુદેવને એક શતક લખવાનું કહેલું તેની શરૂઆત કરી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની એમાં વાત કહેલી છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ કહેવાય છે અને મોક્ષ એ અપવર્ગ કહેવાય છે. કૃપાળુદેવે ૧૯૪૦માં ૧૭મે વર્ષે મોક્ષમાળા લખી તે સમ્યગ્દર્શન વિના લખાય નહીં. કૃપાળુદેવે તે અગાઉ છ દર્શનના વિચારો કર્યા હતા. આ કાવ્ય પણ તે વયમાં કરેલ, તેની પહેલી બે કડી મંગલાચરણરૂપ છે. પછીનું
જળહળી ' કાવ્ય અનુસંધાનમાં છે. [વ. ૧] પ્રભુપ્રાર્થના-(સભામાં વાચન વખતે)
આપણને આ જગત જળહળ સ્વરૂપ દેખાય છે એમ એમને ભગવાન જળહળ સ્વરૂપ દેખાય છે. એની તિને લઈને જ જગત દેખાય છે. સૂર્ય ન હોય તે અંધારું; તેમ આત્મા ન હોય તો શું દેખાય? હે ભગવાન, તારા પર પ્રેમ થાય, જગત ઉપરથી પ્રેમ ઉઠી ભગવાન ઉપર થાય તે પ્રેમ પવિત્ર છે. જગતને પ્રેમ અપવિત્ર છે. કૃપાળુદેવનું કવિત્વ વિદ્વત્તાભરેલું છે. સંસાર દુઃખરૂપ લાગ્યો હોય તે તેના ભયને ભાંગી નાખનાર ભગવાનનું શરણ છે. ભગવાન મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે. ભક્તિ હોય તે મુક્તિ સહજે આવે.
મુમુક્ષુ–એ ભક્તિ કેવી?
પૂજ્યશ્રી–સમ્યગ્દર્શન છે. ભક્તિ માટે પ્રભુશ્રીજીના બેધમાં આવે છે કે ભગવાનને ઓળખે તે ભક્તિ થાય. ઓળખીને ભક્તિ કરવાની છે. ભક્તિ આત્મા છે, ભક્તિ વિચાર છે, શબ્દ બોલે તે પણ ભક્તિ છે. ખરી ભક્તિ તે જ્ઞાન છે. સમકિત હોય તે ભક્તિ થાય અને મુક્તિ પણ આવે. પકડ કરી લેવી. મરતાં સુધી સમભાવ–સમતા રાખે તે શૂરવીર છે. બધાનું કારણ સત્સંગ, ભક્તિ અને ગરજ છે. ગરજ હેય તે અંદર ઊતરે.
મુમુક્ષુ-જ્ઞાની પુરુષે જ્યાં જ્યાં જુએ છે ત્યાં ત્યાં કમથી છૂટે છે, બંધાતા નથી, તેનું કારણ શું?
- પૂજ્યશ્રી–જેણે આત્મા જાણે છે તેને સમભાવ રહે છે. પર્યાયદષ્ટિ છૂટી ગઈ અને આત્મદષ્ટિ થઈ તેને જ્યાં જુઓ ત્યાં આત્મા દેખાય. જોવાયોગ્ય તે રત્નત્રય છે, તે જીવ જે નથી. જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. પિતામાં દોષ હોય તે બીજામાં દેષ દેખે. પ્રાણ જાય પણ બીજામાં મારે વૃત્તિ ન જવા દેવી, અનીતિ ન કરવી, એવી દઢતા થાય તે ધર્મ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org