________________
૩૪૬
બોધામૃત
૨૯ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧૨, ૨૦૦૯ આપણે કરીએ છીએ તેની કંઈ અસર થાય છે કે કેમ? તેની તપાસ જ જીવને નથી. નિરંકુશ થઈ જાય ત્યારપછી જીવને કંઈ સમજાતું નથી. કળિકાળનું સ્વરૂપ પરમકૃપાળુદેવે કહ્યું છે તેવું જ છે. માટે આપણે સાચવીને ચાલવાનું છે. કાળબળ એવું છે કે પિતાનું કલ્યાણ કરવાની ભાવનાવાળા બહુ જ થોડા જ છે.
૩૦ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૦, ૨૦૦૯ મિથ્યાષ્ટિ બંધાય છે. રાગદ્વેષથી જે બંધાય છે તે બીજી ક્રિયાઓથી બંધાતે નથી. બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે, એ જ અજ્ઞાન છે. અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ એ બંધના પાંચ કારણેમાં મિથ્યાત્વ એ જ બંધનું મુખ્ય કારણ છે. મિથ્યાષ્ટિ કંઈ ક્રિયા ન કરતે હોય તેય બંધાય છે. એ મહાવ્રત પાળતું હોય તેય મહા પાપી છે. રાગદ્વેષ સહિત મન ઈન્દ્રિયના વ્યાપાર કરે છે તેથી બંધાય છે. આ તે સમ્યગ્દર્શનનું માહાત્મ્ય કહેવા માટે કહ્યું છે. બાકી કંઈ સમ્યગ્દષ્ટિને બંધ થતું જ નથી, એમ એકાંતે નથી. સમકિત થાય પછી મે તોય તે જીવને અર્ધ પુદ્ગલપરાવર્તન સુધીમાં મેક્ષ અવશ્ય થવાને છે. રાગદ્વેષથી બંધ થાય છે અને રાગદ્વેષનું કારણ અજ્ઞાન છે. તેથી બંધનું કારણ મુખ્યત્વે અજ્ઞાન અથવા મિથ્યાત્વ છે.
૩૧ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૧, ૨૦૦૯ અહંભાવ છે ત્યાં મિથ્યાત્વ છે. હું કરું છું, હું ભેગવું છું એ બધું અભિમાન છે. જેમણે કઈ જીવની ઘાત કરવી નથી એવું પચ્ચખાણ લીધું છે તેમને માટે આ ઉપદેશ છે. હું રહ્યું છું, હું અહિંસા પાળું છું, એ જે અહંભાવ તે કાઢવા માટે આચાર્ય કહે છે. બહુ સૂક્ષ્મ મિથ્યાત્વ રહી ગયું હોય તે કાઢી નાખવા માટે આ (સમયસાર–બંધ અધિકારમાં) કથન છે. બહુ ઉચ્ચ કોટીની વાત છે. “હું પામર શું કરી શકું?” એ વિવેક છે.
૩૨ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૯ ગૃહસ્થાશ્રમમાં ધર્મ છે તે હસ્તિનાનવત્ છે. ડોક ધર્મ કરે અને પાછા બીજા કામમાં ભળી જાય છે. માટે કૃપાળુદેવે કહ્યું છે કે નિવૃત્તિને ઉપાય કરે. નિવૃત્તિ કેમ મળે? ક્યારે મળે ? એને ઉપાય કરે. જીવને ધર્મ પામવા માટે કંઈ ને કંઈ નિમિત્તની જરૂર છે. જેમ વાડ વગર વેલે ઊંચે ચઢે નહીં, તેમ નિમિત્ત વગર ધર્મ પમાય નહીં.
૩૩ શ્રીમદ્ રા. આ. અગાસ, શ્રાવણ વદ ૨, ૨૦૦૯ આ જીવ વિશ્વના બીજા પદાર્થોથી ભિન્ન છે. પિતાને જીવ જાણતું નથી તેથી ગમે તે વસ્તુને પિતારૂપે માને છે.
ઊપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલેતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) હું પંડિત છું, ફલાણું છું એમ અભિમાન થાય છે, તેથી બંધાય છે. જ્ઞાનીના વચન પર પગ મૂક્યો તે ધર્મમાંથી ખસી ગયે. દેહ તે બીજે મળે પણ ધર્મ ન મળે. સંસારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org