SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ૬ ૩૪૧ મિક્ષ કહ્યો નિજ શુદ્ધતા” શુદ્ધભાવ એ મેટી વસ્તુ છે. એ થવા “સર્વ તરૂપ.” શુદ્ધ થયા પહેલાં સર્વ ભાવ જ્ઞાનીને અર્પણ કરી દેવા. ત્યાં બંધન ન થાય. સર્વ ભાવ જ્ઞાની પ્રત્યે વાળવાના છે. જ્ઞાની સમ્મત કરે તે સમ્મત કરવું. છૂટવાના રસ્તા છે. છૂટવું હોય તે કરવું પડશે. પાપમાં પ્રવર્તવાને જ્ઞાની નિષેધ કરે છે. બે પ્રકારે ધર્મ છે. ૧ સાધુ ધર્મ, ૨ ગૃહસ્થ ધર્મ. જે સર્વસંગપરિત્યાગ કરે છે તેણે કેમ વર્તવું તે સાધુધર્મ છે અને ગૃહસ્થ જે છે તેણે કેમ વર્તવું તે ગૃહસ્થ ધર્મ છે. શું કરવાથી પિતે સુખી, શું કરવાથી પિતે દુઃખી ?” (૧૦૭) ઊંઘથી સુખી થવાય છે કે પાંચ ઇન્દ્રિયના વિષયથી કે પૈસાથી? આત્મા સુખી શાથી થાય? એ વિચારવાનું છે. સુખ તે મોક્ષમાં છે. માટે મોક્ષની રુચિ કરવાની છે. તે માટે સત્સંગને વિશેષ પરિચય કરવાની જરૂર છે. ચેતતા રહેવાની જરૂર છે. આયુષ્ય પૂર્ણ થતા પહેલાં કંઈક કરી લેવાનું છે. જીવને માથે બજે બહુ છે. પહેલાના પુરુષો હળુકમ હતા. આ કાળમાં કર્મને બેને વધારે છે, પણ જીવ બળ કરે તે થાય એવું છે. મરુદેવામાતા પૂર્વભવમાં કેળનું ઝાડ હતાં, ત્યાંથી અકામ નિર્ધાર કરી મરુદેવામાતા થયાં અને ભગવાનના સમવસરણમાં જતાં રસ્તામાં કેવળજ્ઞાન પામ્યાં. આ કાળના જ વિરાધક છે, તેથી જ્ઞાનીને બેધ સાંભળે પણ પરિણામ પામે એવું નથી થતું. બીજી ઇચ્છાઓ જીવમાં પડી છે, તેથી બાધ અંદર પહોંચતું નથી. મેગ્યતાની ઘણી જરૂર છે. ૧૪ શ્રીમદ્ રા. આ. અગાસ, ચૈત્ર વદ ૫, ૨૦૦૮ તત્વજ્ઞાન રેજ વાંચવા જેવું છે. રેજ વધારે ન બને તે પા કલાક તે ભક્તિમાં ગાળવે જ ભક્તિમાં ચિત્ત રહેશે તે રંગ લાગશે. જ્ઞાની પુરુષે જે જે આજ્ઞા કરી છે, તે જીવને હિતકારી છે, જે કંઈ જ્ઞાનીની આજ્ઞાએ કરીએ તે ધર્મ કહેવાય છે. કૃપાળુદેવે પિતે કર્યું તે જ કહે છે. વૃત્તિઓ ઓછી કરવાનું કહે છે. કૃપાળુદેવને બાહ્યત્યાગનો ઉદય ન આ પણ અંતરથી ત્યાગી હતા. આજથી કૃપાળુદેવને જ ગુરુ માનવા. ૧૫ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૧, ૨૦૦૮ સવારે ત્રણ વાગે ઊઠીને મોક્ષમાળાના પાઠ ફેરવીએ. પાઠ ફેરવતી વખતે એ લક્ષ રાખવે કે મારે વિચાર કરવા માટે ફેરવવા છે. એકાગ્ર મનથી ફેરવવા. શીખેલા છે માટે ન ફેરવું તે ભૂલી જઈશ એટલે જ લક્ષ ન રાખે. વિચાર કરવાને પણ લક્ષ રાખ. ૧૬ શ્રીમદ્ રા. આ. અગાસ, વૈશાખ સુદ ૪, ૨૦૦૮ જ્યાં સુધી દેહાદિકથી કરી જવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી ગ્ય છે.” (૪૬૦) જેને આત્માનું કલ્યાણ કરવું છે એવા મુમુક્ષુ જીવને તે દેહને સાચવવાનું કહ્યું છે. જેણે એ આત્મકલ્યાણનું કામ કરી લીધું છે એવા જે મહામુનિઓ, તેઓને ઉપસર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004636
Book TitleBodhamrut Part 1
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1977
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy