________________
૩૧૦
બધામૃત મને દેવલેક મળે, પૈસા મળે, છોકરાં મળે એવી લૌકિક ઇચ્છા હોય, તે જ્ઞાનીની એને શ્રદ્ધા છે એમ શાથી કહેવાય? દેહથી ભિન્ન સ્વરૂપે જ્ઞાની રહે છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” એવાં જ્ઞાનીનાં વચને, તેવા થવા માટે સાંભળ્યાં હોય અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી એની દેહદષ્ટિ ખસે. અવિચારથી, દેખે છે અને ભૂલે પડે છે. બે વસ્તુ છે ? જડ અને ચેતન તે બન્નેને એક માને છે.
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન;
પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” જ્ઞાનીના બેધથી બન્નેને લક્ષણથી જુદાં જાણી શ્રદ્ધા કરે તે જાણ્યું કહેવાય. જ્ઞાની તે પોકાર કરીને કહે છે કે પાંચ ઇન્દ્રિયે શત્રુ છે, પ્રમાદ-આળસ વૈરી છે, કષાયે આપણા શત્રુ છે, એવું સાંભળીને પાછો તેમાં જ રહ્યા કરે તે એણે શું સાંભળ્યું ?
કેડમાં ડગ મારી હોય તે ચલાય નહીં, તેમ જ્ઞાનીને બોધ એને લાગે હોય તે પછી સંસારબળ ચાલે નહીં, માંડ માંડ પ્રારબ્ધ પ્રમાણે ચલાય, સંસારભાવ એને છૂટી જાય. પછી સંસાર વધે નહીં. જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો સંસાર છૂટે. જ્ઞાનીનાં વચને એને લાગ્યાં હોય તે આત્માનું વેદના થાય. દેહ છૂટે પણ જ્ઞાનીના વચને ન છૂટે એવું કરવું. અપમાન કર્યું હોય તે જીવ ભૂલતું નથી. પણ જ્ઞાની કહે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયે નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, તે માનતું નથી. દેહ જેવાને મૂકી આત્મા ભણી દષ્ટિ કરે તે જ્ઞાનીને જોયા કહેવાય.
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” એ સમજવા માટે પૂજા ભક્તિ વગેરે કરવાનું છે. અંતર તપાસે તે બધાને ખબર પડે એવું છે. આખા સંસારનું મૂળ સ્ત્રી કહેવાય છે. દેહદૃષ્ટિ તે સંસાર છે. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને, આત્મા જુએ ત્યારે જ્ઞાનીને જોયા કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે “આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ. જેને તરવું છે તેણે તે આત્મા જેવાગ્યા છે. બૂડવું હોય તે દેડ જુએ.
- ધન છે તે જમીનમાંથી નીકળેલે પૃથ્વીને વિકાર છે. ઢેકું જોયું હોય તે તેને ગજવામાં મૂકવાને ભાવ ન થાય. અને ઘરેણું જોયું હોય તે લેવાના ભાવ થાય છે. બધું અહીં જ પડયું રહેવાનું છે. “આત્માથી સૌ હીન” એમ લાગે ત્યારે જેની આત્મદષ્ટિ છે તેનામાં જ વૃત્તિ જાય. દષ્ટિ ફરે તે બધું સફળ થાય. નહીં તે કંઈ સત્સંગ જ કર્યો નથી. જ્ઞાનીએ આત્મા પ્રગટ કર્યો છે, તેમના પ્રત્યે દષ્ટિ રાખે તે મોહ ન થાય. જ્ઞાની જ એને ત્રણલેકને સારી લાગે, પુદ્ગલમાં એની વૃત્તિ ન રહે. જ્ઞાની મુક્ત થયેલા છે. એ આપણને મુક્ત કરે તેવા છે. તરવાને કામી હોય તે તે જ્ઞાની ભણું દષ્ટિ રાખે. બીજું કામનું નથી. બીજું બધું ભવ ઊભા કરનાર છે. જ્ઞાનીને જે કરાવવું છે તે ન થયું તે આશ્રમમાં રહ્યા કે બીજે રહ્યા, બધું નકામું છે. બીજેથી પ્રેમ ઉઠાડી જ્ઞાની પ્રત્યે પ્રેમ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org