SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] દર્શન અને ચિંતન શીખવાની અદમ્ય ઈચ્છા ઉદ્ભવી. પણ વિદ્યાના એ મરુદેશસમાં ગામડામાં ન તે સંસ્કૃત ભાષા શીખવાનું કઈ સાધન હતું કે ન પ્રાકૃત આદિ અન્ય ભાષાઓ શીખવાનું. માનસિક અકળામણ કાંઈક ઓછી થાય એ પ્રસંગ અચાનક આવ્યો અને લાધાજી સ્વામી તથા ઉત્તમચંદજી સ્વામીને સમાગમ કાંઈક વિશેષ લા. પહેલા પાસે શરૂઆત કરી અને બીજા પાસે સારસ્વતવ્યાકરણ પૂર્ણ કર્યું. એ બંને ગુરુ-શિષ્ય પ્રત્યેની કૃતજ્ઞતા સાચવીને પણ મારે એટલું તો નિખાલસપણે કહી જ દેવું જોઈએ કે સંસ્કૃતમાં પ્રવેશ તો થયે પણ તે ન હતું સંગીન કે ન હતું પૂર્ણ અધ્યયન. તે વખતે પણ મને એટલું તે સમજાઈ ગયું કે સંસ્કૃત ભાષાના પરિપૂર્ણ અને શુદ્ધ જ્ઞાન વિના પ્રાકૃત ભાષામાંથી ખરે અર્થ તારવવો એ માત્ર ફાંફાં છે. અને એ બંને ભાષાના યથાવત બોધ વિના ગુજરાતી કે હિંદીમાં લખાયેલ જૈન પ્રકરણોના ભાવને ઠીક ઠીક સ્પર્શવાનું કામ પણ એટલું જ અઘરું છે, તેથી હવે મારું મન સંસ્કૃત ભાષાના વધારે અભ્યાસ તરફ વળ્યું. પણ એ જિજ્ઞાસાતૃપ્તિનું કોઈ સાધન સામે ન હતું અને જ્યારે કાંઈક સૂઝયું ત્યારે પ્રથમ તે એ અધૂરું લાગ્યું, એટલું જ નહિ, એ અધૂરા સાધનથી સંસ્કૃત શીખવાનું કામ સરળ પણ ન હતું. આ રીતે વીસે કલાક ગડમથલ ચાલતી. તે બીજી બાજુ નિષ્ક્રિય રહેવાનું ભારે માટે શક્ય જ ન હતું; એટલે જે જે સુલભ થયું તે બધું યાદ કર્યો ગયે. એ બધી વસ્તુ સંભળાવી યાદ કરવામાં મદદગાર કેટલાય થયા છે, પણ અત્રે ત્રણ વ્યક્તિઓનો નિર્દેશ અનિવાર્ય છે: બે સહોદર ભાઈ પોપટલાલ અને ગુલાબચંદ, જે મારા નિકટ મિત્ર પણ બન્યા હતા અને મારે એક લઘુત્રાતા. આ ત્રણમાં પ્રથમના બે મને સંભળાવે ને પોતે પણ વાંચતાં વાંચતાં કાંઈક સમજતા. તેમાંય પિપટલાલની બુદ્ધિ તો અસાધારણ હતી. એને લીધે મેં જેનપરંપરાના એક જટિલ ગણાતા કમંસાહિત્યમાં પ્રવેશ કર્યો. અનેક કર્મ અને બીજાં પ્રકરણ માત્ર ટબા દ્વારા જાણી લીધાં. આ રીતે કાશી ગયા પહેલાં મારી પૂર્વભૂમિકા તૈયાર થઈ. પણ જે જે યાદ કર્યું કે યાદ થયું તે વિષે એક ઈશારે આવશ્યક છે. નવું વાંચી સંભળાવનાર કેઈ હાજર ન હોય કે તેને સમય ન હોય તે વખતે શીખેલ સમગ્ર વસ્તુઓને હું પુનરાવર્તન દ્વારા યાદ કરી છે, કેમકે તે બધું તે કાળે કંઠસ્થ હતું. એ પણ કહી દેવું જોઈએ કે જેટલા પ્રમાણમાં શબ્દનો સ્પર્શ હતા તેટલા પ્રમાણમાં તેના અર્થજ્ઞાનનું ઊંડાણ તે વખતે ન હતું. સમજવાની શક્તિ ઓછી હતી એમ નથી કહી શકતા, જિજ્ઞાસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy