SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ “સાફ” વિદ્યાધ્યયન [ ૨૯૧ અને તે હાલ અમદાવાદમાં છે. તે વખતે મારા શીખવાના વિષયેા માત્ર જૈનપર’પરાને લગતા જ હતા ને તે ત્રણ ભાષામાં પ્રથિત. ગુજરાતી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા એ વિષયમાં ઘેાડા પ્રવેશ કર્યાં. જીવ, કર્મ, લોક, દ્વીપસમૂહ, ધ્યાન જેવા એક એક મુદ્દા ઉપર જૈનદષ્ટિએ લખાયેલ ગુજરાતીમાં જે નાનાં નાનાં સંખ્યાબંધ પ્રકરણા છે તે થાકડાને નામે પરપરામાં જાણીતાં છે. ચેાકડા એટલે કાઈ એક મુદ્દા ઉપર શાસ્ત્રમાં મળી આવતા વિચારાને એકત્ર કરેલ થાક, જથ્થા કે સ`ચય, જેને તે તે વિષયનાં પ્રકરણ કહી શકાય. આવા સંખ્યાબંધ થાકડા તે તે સાધુ કે સાધ્વી પાસેથી સાંભળીને જ યાદ કરી લીધા. એનું પ્રમાણ નાનુંસૂનું ન હતું. છન્દ, સ્તવન અને સઝઝાય નામે જાણીતું ગુજરાતીમાં વિશાળ જૈન–સાહિત્ય છે. સઝઝાયમાળા નામે તે વખતે પ્રસિદ્ધ એવા એ ભાગામાં છપાયેલ. લગભગ બધું જ આવું સાહિત્ય પણ એક અથવા ખીજાની પાસેથી સાંભળી સાંભળી યાદ કરી લીધું. ગુજ રાતીમાં ચર્ચાયેલ વિષયા સમજવામાં મુશ્કેલી પડતી જ નહિ, એટલે સહેજે અનેક જૈન વિષયાના પરિચય તા થયા પણ એટલા માત્રથી જિજ્ઞાસા શમતી ન હતી. મનમાં થયું કે આ બધું જે મૂળ ગ્રંથોમાં છે તે યાદ કેમ ન કરવું? આ જિજ્ઞાસાએ આગમા ભણી ધકેલ્યા. આગમા યાદ કરવાં તે શીખવામાં મુખ્ય કાળા હોય તો તે એકલવિહારી પૂ. દીપચંદજી સ્વામીને. અલબત્ત, એમાં લાધાજી સ્વામીજીના હિસ્સા તો છે જ. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધ એ મૂળ મૂળ સૂત્રો તે આખેઆખાં યાદ થઈ ગયાં, પણ તે ઉપરાંત અનેક વિષયો ઉપર પ્રાકૃતમાં નિબદ્ધ પ્રકરણા પણ સાંભળીને જ યાદ કરી લીધાં. એ બધાંની યાદી બહુ લાંબી થાય. અહીં' કહી દેવું ઘટે કે તે તે આગમા અને પ્રાકૃત પ્રકરણાનો અર્થ કાં ા ટખા દ્વારા અને કાં તે સાધુઓનાં માટેથી ગ્રહણ કર્યાં. સંસ્કૃત ભાષાનું આણુ આગળ જતાં મને જણાયું કે એ અર્થગ્રહણ માટે વધારે સાધનની અને તૈયારીની જરૂર છે. કયારેક કાઈ સાધુ છૂટાછવાયા સંસ્કૃત શ્લોકા ખેલે અથવા નાતમાં જમતી વખતે બ્રાહ્મણા સંસ્કૃત શ્લોકેા લલકારે, એ સાંભળી સંસ્કૃતની મધુરતાએ અને ભાષાવિષયક તીવ્ર જિજ્ઞાસાએ મને સંસ્કૃત તરફ વાળ્યા. તે વખતે એ પણ માલૂમ પડયું કે પ્રાકૃત આગમા ઉપર સંસ્કૃત ભાષામાં વિશાળ પ્રમાણભૂત વ્યાપ્યા છે. એ પણ માલૂમ પડ્યું કે મૌલિક બ્રાહ્મણ-સાહિત્ય તે મુખ્યપણે સંસ્કૃત ભાષામાં જ છે. આ જાણુથી સંસ્કૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy