SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવાર્તા લખવામાં સકાચ કેમ ? * [ ૬ ] અપરિગ્રહ, જીવનશુદ્ધિ આદિ વિષે હું સમજણ અને ભાવના પ્રમાણે વતી શકતા નથી; એટલે જ જીવનવાર્તા લખવામાં સ ક્રેાચ છે. એ ઉપરાંત જાં પણ સકાચનાં કારણેા છેઃ— ૧. વિશિષ્ટ વિભૂતિઓની કથા અત્યારે સુલભ છે ત્યાં આવી પામર કથા પ્રકાશિત કરવામાં અભિમાન ભાસે છે. ૨. જ્યાં લગી યથાવત્ પ્રતિબિંબ ન પડે ત્યાં લગી એકાંગી કથા લખવાથી ઊલટા ભ્રમ પાષાય છે. ૩. દેખાદેખીથી જીવનવાર્તા લખવાની પદ્ધતિ વધતાં, પછી તે માત્ર કૌતુકશાંતિ જ વાચનક્ળ શેષ રહે છે. ૪. મેં જે લખેલ તેમાં હકીકતા થાડી છે, ધણી રહી ગઈ છે. લખી છે તેમાંય વાચકાની દૃષ્ટિએ ઉપયાગી ન હેાય એવી પણ છે. રહી ગયેલમાં કામની પણ આવશે. લેખનપદ્ધતિ મુખ્યપણે વનાત્મક, એટલે એ ઉપરથી કેટલાક સિદ્ધાંતાના રહસ્યસ્ફોટ એમાં નથી. આવા જીવન પાછળ જે પ્રેરક હેતુ કામ કરે છે તે, દરેક ઘટનામાં અભિવ્યક્ત થતા દેખાય એ રીતે લખાય તેા જ એકસૂત્રતા આવે; અન્યથા નહીં'. એટલે મને લખેલ ભાગ અને પદ્ધતિ સંતોષપ્રદ નહી લાગેલ તેથી એમ ને એમ પડી રહ્યું અને સકાચ પણ ન ગયા. આ કારણથી મેં એમ સૂચવેલું કે શી ઉતાવળ છે?' અને રીને પદ્ધતિ નિશ્રિત કરી શકયો નથી; કરીશ અને મળીશું ત્યારે લખીશું.' ઈત્યાદિ. < આ તેા ન લખવા પક્ષે વાત થઈ. પણ મેં એમ સૂચવેલું કે જો તમે, આપેલ કબૂલાત પ્રમાણે લખવા ઇ જ તેા એમાં કાઈ અત્યુક્તિ, આડંબર જેવું જરાય ન આવે; જાણે કે સામાન્ય જીવનક્રમ સહજભાવે ચાલતા હોય તેવે જ આવે. * શ્રી દલસુખભાઈ માલવણિયા ઉપર તા. ૧૩-૧૨ ૧૯૫૦ ના રાજ લખેલ પુત્રમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy