________________
સુવર્ણચન્દ્રક સમારંભ પ્રસંગે
[૪] આ ચંદ્રક–અર્પણ વિધિ વૈયક્તિક છે એમ હું નથી સમજતેઅમુક વ્યક્તિ બીજી કોઈ ખાસ વ્યક્તિને જ્યારે આવું કાંઈ અર્પણ કરે ત્યારે તે વિધિ વૈયક્તિક બને છે, પણ હું તે આવા વિધિને માત્ર શાસ્ત્રીય. જ્ઞાન તેમ જ સત્યશોધક વૃત્તિની મૂલવણની વિધિ સમજું છું, તેથી આવા વિધિ પ્રસંગે મારે કોઈને આભાર માનવાપણું રહેતું જ નથી. આવી અપ
વિધિમાં એક અથવા બીજી રીતે ભાગ લેનાર બધા જ શાસ્ત્ર, જ્ઞાન તેમ જ સત્યસંશોધક વૃત્તિના એકસરખા પૂજારી છે. જ્યાં પૂજા એક જ હોય અને તે એક જ ગુણની ત્યાં એમાં ભાગ લેનાર ગમે તેટલા હેય છતાં કોણ કોને આભાર માને? કુળમાર્ગથી જુદા પડવાનું કારણ
સ્વાભાવિક રીતે જ અહીં ઉપસ્થિત હોય એવા બધાને કુતૂહલ થયા વિના ન રહે, કે મારા જેવો લાચાર સ્થિતિમાં પડેલ માણસ છેવટે સત્યસંશોધનને માર્ગે કેવી રીતે વળ્યો ? તેથી હું મારા જીવનને લગતા એટલા જ ભાગની ટૂંકમાં કયા કહું તો તે કેટલેક અંશે ઘણાખરા પિતાની જીવનકથા સાથે મળતી દેખાશે અને એમાંથી અચરજ કે અદ્ભુતતાનું તત્વ આપઆપ ઓછું થઈ જશે, જેથી જીવનની સહજ સપાટીને વિચાર પણ કરી શકાય.
જે કુળ કે વંશમાં શાસ્ત્રીય જ્ઞાનને ભાગ્યે જ વારસો ચાલ્યો આવતો હોય તેવા માત્ર વ્યાપારછવી કુળમાં જન્મવા અને ઉછેર પામવા છતાં હું કુલમાર્ગથી જુદે રસ્તે ગયે તેનું મુખ્યત્વે એકમાત્ર કારણ જિજીવિષા છે.
જીવનની ઈચ્છા બળવતી હોય ત્યારે તે પોતાની સિદ્ધિ માટે કોઈને કઈ રસ્તે ફાંફાં મારે છે. એમાંથી ક્યારેક સામાન્ય રીતે કપ્યું ન હોય તેવું પરિણામ પણ આવે છે. સોળેક વર્ષની ઉંમરે મારું નેત્રાતનું વિશ્વ અલેપ થયું અને અંધકારાદૈતનું વિશ્વ આવિર્ભાવ પામ્યું. શ્રવણેન્દ્રિય કુંઠિત થાય ત્યારે અગર નાસિકેન્દ્રિય કામ કરતી બંધ પડે ત્યારે મુશ્કેલી અવશ્ય અનુભવાય છે. છતાં બીજી કોઈપણ ઈન્દ્રિયના વધ કરતાં નેત્રને વધુ વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org