SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 4+] દર્શન અને ચિંતન બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલુ' ઊંડું ચિન્તન અને સ્વાસ્થ્ય—એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વાર તા ગોપનાથ જઈ એ. વ્યામવિહાર એ તે સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વ રંગ કહ્યો છે, કારણ કે એ વ્યાવિહાર દ્વારા લેખક દિવ્યતાના બ્યામમાં વિચરવા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસાત્માદમાં કાઈ કલ્પના અને ચિંતનગમ્ય બ્યામમાં વિહાર કરે છે. જો લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિકવિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના સંસ્કાર એકરસે રસાયા ન હોત તે સ્થૂળ વ્યાવિહારમાંથી · અપૂર’ગ’ સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનુ જીવન લખતાં કાઈ નવી જ જીવ-પરમાત્યસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં · અપૂર્ગ' માં છે. જે લોકા માત્ર ચાલુ જીવનમાં જ ગોથાં ખાતાં હાય તેએને નવા રસ માણવા માટે આ બ્યામવિહાર' ઉપયાગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણુ, બૌદ્ધ અને જૈન ત્રણેય પરપરાના ઇતિહાસની ઝાંખી તે છે જ, પણ એમાં ગેાદાવરી, ત્ર્યંબક, ગજપ થા, પાંડવગુફા વગેરેનાં જે સવેદનપૂર્ણ શબ્દચિત્રા છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમ્મિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આખરી પ્રથાની જે ગ્રંથિભેદપાષક તટસ્થ પર્યાલોચના છે તે બધુ કાઈ પણ તીના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એના પાઠ શીખવે છે. એક્કાવાળાએ આપેલ દ્રાક્ષના ઝૂમખા એ માનવતાની દીવાદાંડી છે. તથાગત મુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અમુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડુ • આત્મનિરીક્ષણ છે. * ગાપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હા. વ્યોમવિહાર સાંભળતાં વ્યોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વન ગિરનારમાં દેખાતાં દૃશ્યો વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દશ્યો, સૂક્ષ્મ સંવેદના અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ—એ બધાંમાંથી લેખક. સપ્તરંગી મેધધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી મૂક્તિ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધૂપરપરા અને ધર્મસ્થાનાની વિવિધતા, સાધુસંતાની વિવિધતા અને ઐતિહાસિક બનાવાની વિવિધતા—બધી વિવિધ તા વચ્ચે ગિરનાર તો ફૂટસ્થ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy