SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪] દર્શન અને ચિંતન અજાણપણે પણ એ સંસ્કારે માત્ર એકતરફી પિષાઈ ગ્રંથિરૂપ બની ગયા હતા. મને યાદ છે ત્યાં સુધી હું કહી શકું કે કોઈ પણ સ્થાનકવાસી સાધુ-સાધ્વી આવે ત્યારે હું તેમને વિષે એમ જ ધારતે કે આ ખરેખર મહાવીરના સાક્ષાત શિષ્ય જેવા છે. વાસ્તવિક ત્રુટિઓ તેમનામાં જોઉં છતાં એક ચિગીની પેઠે મૂઢ ભાવે, તેમનામાં ગુણદર્શન જ કરતા અને માનતા કે તેમના આચાર-વિચાર, ભાષા, વ્યવહાર એ બધું સાક્ષાત મહાવીરમાંથી જ આવેલું હેઈનિઃશંક શ્રદ્ધેય છે. એક બાજુ આ સબીજ ગ્રંથિની સ્થિતિ અને બીજી બાજુ પ્રકાશ પત્રનું તદ્દન વિરોધી વાચન. એમાં મૂર્તિપૂજાની, તીર્થોની, અષ્ટપ્રકારી અને અન્યોન્ય પ્રકારી પૂજાની, ધૂપ, ફૂલ વગેરેની ચર્ચા આવે. બત્રીશને બદલે ક્યારેક પિસ્તાલીશ આગમન અને ટબાને બદલે પંચાંગીને ઉલ્લેખ આવે. પ્રાકતને બદલે ઘણીવાર સંસ્કૃત શ્લેકે સાંભળવા મળે. મહપતિ બાંધવા વિરુદ્ધની ચર્ચા અને પીળા કપડાનાં સમર્થન પણ એમાં આવે. મારે મન આ બધું તે વખતે એક ધતીંગ હતું. વારસાગત અને પછીથી પિવાયેલ -સંસ્કારે પ્રકાશ પત્રમાં આવતી ઘણીખરી બાબતોને મિથ્યા માનવા પ્રેરે, પણ પેલા મિત્રનું અનુસરણ અને કાંઈક અસ્પષ્ટ જિજ્ઞાસાભાવ એ વિરુદ્ધ બોલવા ના પાડે. આમ કુળગત સંસ્કારે ઉપર પ્રકાશપત્રના વાચનારા તદન વિરોધી બીજા સંસ્કારનો થર મનમાં બંધાયો. જાણે આ થેરેને ભાર ઊંચકો કઠણ હોય અને તેમાંથી કાંઈક માર્ગ શોધવા મથતું હોય તેમ તે વખતનું મારું મન તર્કવિતર્ક કરવા લાગ્યું. છપ્પનના દુકાળથી અઠ્ઠાવનની સાલ સુધીના ગાળામાં મન ક્રાંતિની દિશામાં હતું. પ્રકાશ પત્રમાંના અને પ્રચારક સભાનાં કેટલાંક પુસ્તકમાંથી સેંકડે સંસ્કૃત શ્લોક યાદ થઈ ગયેલા, અને હજારે કંઠસ્થ પ્રાકૃત પદ્યોની મનમાં પ્રતિષ્ઠા છતાં સંસ્કૃત તરફ આકર્ષણ પૂરવેગથી વધવા માંડયું. એ આકર્ષણે કુળગત સંસ્કારને શિથિલ કર્યા, છતાં કુટુંબ અને કુળગુરુઓને માનસિક ભય તેમ જ જડતાનું ગાઢ આવરણ એટલું બધું કે શંકાઓ વ્યક્ત કરવા સાહસ જ ન થાય. છતાં પ્રકાશના તે વખતના એક માત્ર સ્થૂલ વાચનથી પણ મન જુદી જ રીતે ઘડાવા મંડયું. ક્યારેક કૌતુકબુદ્ધિએ મંદિરમાં જવાનું મન થાય, ક્યારેક ટીકાદષ્ટિએ અને દોષગવેષકદ્રષ્ટિએ સંગી સાધુઓ પાસે જવા મન લલચાય. આ બધું થાય પણ કુળસંસ્કારોની ગ્રંથિ મનને છૂટથી વિચારવા જ ન દે. વળી પ્રકાશ પત્રના નવનવ અંકના વાચનથી મનમાં એમ થઈ આવે કે આ પિસ્તાલીશ આગમે, આ સંસ્કૃત સાહિત્ય, આ વ્યાકરણ, આ ન્યાય વગેરે બધું જાણવું તે જોઈએ. કદાચ તે મિથ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy