SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસંદશાનાં કેટલાંક સ્મરણે [ ર૫૯ વધવા લાગ્યા છે. નાનપથના ઉદાસી એમાં આગળ આવતા જાય છે. તેમના મઠે છે અને પાઠશાળાઓ પણ છે. મારવાડીઓ અનેક સત્રોને, અનેક પાઠશાળાઓને અને અનેક સાધુસંતના મઠને પિષે છે; પણ મારવાડી ત્યાં ભાગ્યે જ વિદ્વાન મળે. કાશીના વિદ્યાચુંબકે જેને અને બૌદ્ધોને ખેંચ્યા છે. બરમી અને સિંહલી ઘણા બૌદ્ધો ત્યાં આવતા થયા છે. વિદ્યાના રમત ઉપરાંત પ્રાકૃતિક રમ્યત્વ પણ ઓછું નથી. ખરી રીતે ગંગાતટ, વૃક્ષરાજી અને ફળદ્રુપ ભૂમિને લીધે જ ત્યાંનું વાતાવરણ જામેલું છે. ઘણી વાર હું મિત્રો સાથે વિદ્યાના સ્ત્રોતની જેમ ગંગાના સ્ત્રોતમાં પડત. મને યાદ છે કે એથી વધારે વાર હું એમાં એવો તણાયેલો કે તત્કાળ મિત્રો ને આવ્યા હોત તે મહાસમુદ્રમાં જ પહોંચત. મારું તરવાનું બળ ગંગાના વેગ સામે કુંઠિત થઈ જતું. પછી તે ચેતી જ ગયેલે. મને ભણવા કરતાં ભણાવવાને શેખ પહેલેથી જ વધારે હતો. જૈન વિદ્યાર્થીઓ તે ભણે જ. કેટલાક બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ભણે; પણ જૈન પાસે ભણવામાં કેઈ નિંદે માટે તેઓ બહુ જ સાવધાનીથી છુપાઈને ભણવા આવતા. હું પણ અંદરઅંદર કેવળ વિદ્યાવૃદ્ધિ ખાતર ઘણી વાર તેઓને માત્ર સરખે જ નહિ પણ ઊંચે આસને બેસાડી શિખવાડત. જૈન સાધુઓને ભણાવનાર જે નીચે આસને બેસવું પસંદ કરે તો તેઓને ભાગ્યે જ બારું લાગે. એ ગુરુપદમાંથી જન્મેલી અભિમાન–વૃત્તિ મેં ત્યાંના બ્રાહ્મણવર્ગમાં અનેક રીતે જોઈ છે. ગાંધીયુગ આવ્યા પછી જોયેલ કાશીના વાતાવરણને પહેલાંના વાતાવરણ સાથે મેં સરખાવ્યું ત્યારે કેટલે યુગપલટ થયો છે તે સ્પષ્ટ જણાયું. હમણાં તો કેટલાયે સનાતની બ્રાહ્મણે અસ્પૃશ્યને અડતાં સંકેચાતા નથી; અને ઇતર ઉચ્ચ ગણાતા વર્ણના લેકે સાથે તે તેમને કે લગભગ એક જ થઈ ગયેલ છે. છતાં એમ લાગે છે કે હજી કાશી રાગરનું અલાયતન છે. - બદામ એ બુદ્ધિવર્ધક છે માટે ખવાય તેટલી ખાવી; એ અજ્ઞાનને લીધે માંદગીમાં પડવાના દિવસો તે જૈન પાઠશાળા છોડી ત્યારથી ગયા જ હતા. પણ બી આરોગ્યવિષયક અજ્ઞાન ઘણું જ બાકી હતું તે ડગલે અને પગલે નડતું. ઑપરેશન કરાવ્યું હોય છતાં સવાર-સાંજ ત્રણ ત્રણ માઈલ દૂર ચાલીને ભણવા જવું અને વળી વિશેષ બીમારીમાં સપડાવું એ ક્રમ ચાલુ જ હતો. એને લીધે અને વિશેષ ન્યાયને અભ્યાસ કરવાની વૃત્તિને લીધે કાશી સ્થળ છોડવાનું મન થયું. મિથિલા પસંદ કરી ત્યાં સખત ઠરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy