SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮]. દર્શન અને ચિંતન દિલથી ધર્મસ્તંભ ગણાતા કાશીના પંડિતે એકત્ર થાય તે બચી રહેલી વિદ્યાઓને સત્વર સુંદર ઉદ્ધાર થાય. એક વૃદ્ધ પાદરી ઘણી વાર મળતા. તેઓ બહુ જ સ્પષ્ટ અને શુદ્ધ સંસ્કૃત બોલતા અને સંસ્કૃતમાં જ બીજા ધર્મોનું ખંડન કરતા. એમનું કામ જ્યાં જ્યાં પાઠશાળાઓ હોય, જ્યાં જ્યાં પંડિતે હોય, ત્યાં પહોંચવાનું અને ખૂબ સંભળાવી પાછા ફરવાનું હતું. એમનું સંસ્કૃત પહેલવહેલાં સાંભળ્યું ત્યારથી મનમાં નિશ્ચય કરેલ કે વિશિષ્ટ સંસ્કૃત બેલતાં શીખી જ લેવું. એ નિશ્ચયે કેટલાક દિવસ સંસ્કૃત બેલવાની પ્રતિજ્ઞા લેવડાવેલી. શ્રાવણ માસમાં નાગપંચમી આવે છે, ત્યારે એક નિયત સ્થાને વિદ્યાર્થીઓ અને પંડિતેનું મોટું દળ એકઠું થાય છે, અને સૌ છૂટથી અરસપરસ ચર્ચા અને ખંડનમંડન કરે છે. આ બધું સંસ્કૃતમાં જ થાય છે. ક્યારેક એ પ્રથા બહુ જ વ્યવસ્થિત હશે. કાશીનું બીજું નામ શિવપુરી છે તેથી તેમાં શિવનાં મંદિરે જ્યાં ત્યાં ખડકાયાં છે. જ્યાં મહાદેવ ત્યાં નંદી અને ભાંગ હોય. કાશીમાં જ્યાં જાઓ ત્યાં મસ્ત સાંઢ હોય અને ઘણી વાર તેમની મસ્તી મુશ્કેલીમાં પણ મૂકે. ભાંગ એ ત્યાં અહીંની પેઠે ચાનું કામ આપે છે. વિદ્યાથી હેય કે પંડિત, બાબુ હોય કે કહાર, ભાંગ પીવામાં કાઈને સંકોચ નહિ. ક્યારેક કોઈ પંડિત એમ પણ કહે કે “જબ ભાંગ પી કર ગ્રંથ દેખતે હૈં તબ સામને સરસ્વતી આતી હૈ.” કેટલાક પંડિત શાક્ત પણ જોયેલા, જેઓ ધુરંધર વિદ્વાન છતાં ઉપાસના વખતે મદ્યપાન અવશ્ય કરતા. કાશીમાં પંચવણું વસ્તી મુંબઈ જેવી જ છે. બંગાળી પંડિતને ત્યાં જઈએ ત્યારે હેકે ગુડગુડ ન કરતા હોય તે છેવટે માછલીની ગંધ આવે જ. મિથિલ પંડિતને ત્યાં અભક્ષને સંભવ ખરે જ, પણ હુકાની વાત નહિ. દક્ષિણી પંડિત એ બધાં વ્યસનોથી મુક્ત અને વિશેષમાં એમની ઘર અને કપડાની ચેખાઈ બીજા બધાને મહાત કરે. યુક્ત પ્રાંતના પંડિતેમાં કઈ દુર્વ્યસન ખાસ ન હોય; પણ દક્ષિણીઓ જેવી ચેખાઈ તે નહિ જ. ગુજરાત અને ભારવાડના પંડિતે ત્યાં નથી એમ કહીએ તો ચાલે. જે છે તેમણે ખાસ નામ નથી કાઢ્યું. જેમાં દેશનાયકેમાં ગુજરાતીનું નામ ન હતું અને આવ્યું ત્યારે સૌથી મોખરે આવ્યું, તેમ કાશીમાં ધ્રુવ સાહેબને લીધે આજે ગુજરાતીઓ મેખરે રહેવાનું અભિમાન લઈ શકે છે. વિદ્યાઓ પણ પ્રાંતવાર વહેંચાયેલા જેવી છે. બંગાળી મોટે ભાગે તાર્કિક હોય, મિથિલ પણ તૈયાયિક હોય, દાક્ષિણાત્ય વેદાંતી હોય અને બીજાઓ વૈયાકરણી હોય. આ સામાન્ય નિયમના અપવાદો છે જ. પંજાબી વિદ્વાનો હમણાં હમણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy