SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] દર્શન અને ચિંતન વવા તરફ ધ્યાન અપાય જ નહિ. ભાવિ જીવન અને સામાજિક સ્થિતિનો વિચાર કર્યા સિવાય, ઉપયોગિતાને ખ્યાલ રાખ્યા સિવાય, વિદ્યાર્થીને કોઈ પણ પુસ્તક પકડાવી દેવામાં આવે. વિદ્યાર્થી પિતે જિજ્ઞાસુ હોય અને શ્રમ કરે તે ઠીક. નહિ તે શું ભણે છે? શી ભૂલે થાય છે? સમય કેમ કાઢે છે? એ જેનાર કઈ જ નહિ. આવી અવ્યવસ્થાને લીધે દેશના આત્મા જેવા તણ વિદ્યાર્થીઓની મોટામાં મટી શકિતસંપત્તિને દુર્વ્યય થતે મેં જે છે. અને તેનો ભોગ ડેઘણે અંશે હું પણ બને છું. કાશીમાં સંસ્કૃત ભણનાર દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ હશે એવી મારી કલ્પના છે. બધાને નિર્વાહ સુખેથી થાય છે. અન્નસત્રો સેંકડોની સંખ્યામાં છે. મોટા મોટા દાતાઓ, પંડિતો અને વિદ્યાર્થીઓને નભાવે છે. પણ આ બધાની પાછળ કઈ એક તંત્ર ન હોવાથી તેનું પરિણામ ઓછામાં ઓછું આવે છે. સત્રના ઘણાખરા સંચાલકે પિતાની લાગવગના નકામા વિદ્યાર્થીઓને દાખલ કરે અને મળતા દાનને પિતાના સ્વાર્થમાં ઉપયોગ કરે. આની વિદ્ધ કઈ હિલચાલ ન કરે તેમ જ કોઈ ઊંચું માથું ન કરે. કારણ એ કે, એ વિરોધ કરનાર ડગલે ને પગલે ડરે. જ્યારે માલવિયજીએ હિંદુ યુનિવર્સિટી સ્થાપવા માટે પહેલવહેલાં વિચાર પ્રગટ કર્યા અને કાંઈક પ્રયત્ન શરૂ કર્યો ત્યારે કેટલાક વિશિષ્ટ પંડિત પાસેથી અમે સાંભળેલું કે માલવિયજી પૈસા એકઠા કરી ઉડાવી જવાના છે; અથવા પિતાના જ કબજામાં રાખવાના છે. કાશીને અતિસંકુચિત અને ગુંડાશાહી વાતાવરણના ભયની અસર માલવિયજીના કોમળ હૃદય ઉપર થોડી ઘણી તે છે જ, એવી મારી કલ્પના છે. સંવત ૧૯૬૦ થી ૧૯૬૩ સુધીનાં ત્રણ વર્ષો મેં જે પાઠશાળામાં કાયાં તે અમારે માટે ખાસું જનાનખાનું હતું. ગંગા બહુ જ નજીકમાં હતી; પણ એટલા વખતમાં અમે ત્યાં એક વાર નાહ્યા હતા. પાસે જ ફરવાના બગો છે, અને બીજી જેવા જેવી સંસ્થાઓ છે પણ અમે તેથી લગભગ અસ્પૃશ્ય રહ્યા હતા. કાશીનું પ્રસિદ્ધ કરવત મુકાવવાનું સ્થાન અમારી તદન નજીક હતું; પણ એ મેં ત્યાં સુધી નહિ જોયેલું. બીજી એતિહાસિક મહ ત્વની અને જ્ઞાન મેળવવાની દષ્ટિએ મહત્ત્વની ઘણી જ જગ્યાઓ અને સંસ્થાઓ ત્યાં છે, જેને જોવા દૂર દૂરથી માણસો આવે છે; પણ મેં એમાંનું કશું લગભગ જોયું ન હતું. કસરત કરવી શા માટે ? એમાં તે વખત શા માટે કાઢ? શરીર તે ક્ષણિક છે જ, તે માટે બહુ મમત્વ શા માટે ? આ ઉપદેશ અમારે કાને પડ્યા કરતે. આ બધું સંસ્થાના સંચાલકોની, સંચાલક દૃષ્ટિએ, એગ્યતા ન હોવાનું ખાસ પરિણામ હતું, એમ મારે સ્પષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy