________________
મારે પંજાબને પ્રવાસ
[૨૧૧ એ પ્રદેશમાં ફળોની પેદાશ વિષે એટલું જ કહેવું બસ છે કે ખાસ મોસમમાં દાડમ, સંતરાં વગેરે મોંઘાં ગણતાં ફળે ત્યાં તદ્દન સસ્તાં થઈ જાય છે અને એક મારા બનારસના પરિચિત, હમણું દિગંબર જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષકનું કામ કરતા પંડિતે મને કહ્યું, કે હું મારો દેશ બુંદેલખંડ છોડી અહીં રહ્યો છું તેની ખાસ કારણોમાં ફળની સુલભતા પણ એક છે, તેથી જ હું પુષ્ટ રહું છું.
જીવનમાં યોગવાસિષ્ઠ બાદથી ચાલી નવ માઈલ ઉપર બિલી જવાનું હતું. સામાન ત્યાં જ વિશ્વસ્ત સ્થળે રાખી ચાલ્યા. તડકે, ભૂખ અને ચાલવાને શ્રમ એ બધાં એકત્ર મળ્યાં અને અમને પાણી માટે પ્રેર્યા. લગભગ ત્રણ માઈલ ચાલ્યો હઈશું ત્યાં એક વિસામે આવ્યું. એક કૂવો, ઉપર દેરડીવાળી ડોલ, પાસે બગીચે, આંબાનાં ઝાડ અને એક કુટિરમાં બાવાજી. પાણી પધા પહેલાં સુગંધથી લલચાઈ ગભરામણ દૂર કરવા ગુલાબના ફૂલ તરફ ધ્યાન ગયું. માગું–ન માગું એ વિકલ્પમાંથી પસાર થઈ છેવટે બાવાજી પાસે એક માત્ર ફૂલ માગ્યું. કાં તો ધમકી કે ચીપિયે ઉગામવાનો ભય અને કાં તો એ બાવાની સહજ પ્રસન્નતા ! એમણે કહ્યું: “આખો બગીચો તમારે જ છે ને ? પ્રભુએ આ સૃષ્ટિ સૌના સુખ માટે સરળ છે. ફૂલ શું, જે જોઈએ તે લે. ખરેખર, બાવાજીના આ હાદિક ઉગારથી જે થાક દૂર થયો તે ગુલાબના ફૂલોથી કે બીજી વસ્તુઓથી કદી જ દૂર ન થાત. અરબસ્તાનનું આતિથ્ય વખણાય છે, પણ અનુભવ્યું નથી. કાઠિયાવાડના અને બીજા ભાગોના આતિથ્યનો અનુભવ છે, પણ બાવાના એ ઔદાર્યો તે અમને જુના ભારતના આતિથ્ય અને સહજ સરલપણની યાદ આપી. બાવાજીની પાસે યોગવાસિષ્ઠનું પુસ્તક પડયું હતું. પ્રેસના ભૂતને પ્રતાપે એવાં ધર્મ પુસ્તકોની પહોંચ તે આજે ઘરેઘરે છે. એ પુસ્તક ઉપર આજીવિકા કરતા હજારે બાવા, બ્રાહ્મણ અને બીજા ધર્મગુરુઓને જોયા છે, પણ જીવનમાં જ યોગવાસિષ્ઠ ઊતર્યું હોય. એવા બાવાએ તે બહુ વિરલ જ જોયા છે. તેમાંના આ બાવા. આ બાવાને જઈ કાકા કાલેલકરના હિમાલયના પ્રવાસમાંના પ્રવૃત્તિમાગે કર્મવેગી ખખડધજ બાવાનું મરણ થઈ આવ્યું. અમારે હજી છ માઈલ ચાલવાનું હતું. ઊઠવા માંડ્યું. પણ બાવાજીએ કહ્યું: “રાત પડશે, અહીં રહી જાઓ. દૂધ વગેરે અહીં પ્રસાદી મળશે.” અમે તો કૃતજ્ઞતાપૂર્વક નમસ્કાર કરી બિનોલી તરફ આગળ વધ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org