SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનિકેતન [૧૯૭ અભ્યાસીઓના મુખ્ય બે ભાગ પડે છે. સ્ત્રી વિભાગ, અને પુરુષ વિભાગ. એમાં બાળક, કુમાર અને તરુણ એ ત્રણે ઉંમરના અભ્યાસીઓ છે. નારીભવનમાં કન્યાઓ અને સ્ત્રીઓ રહે છે. તેનું સંચાલન એક શિક્ષિત પાળક કરે છે. શિશુવનમાં નાનાં બાળકે રહે છે અને તેના શિક્ષણસંવર્ધન વગેરેને ભાર તજજ્ઞ પુરુષ અને અમુક સ્ત્રીઓ ઉપર છે. જે વિદ્યાથીઓ હાઈસ્કૂલમાં શીખે છે તેને વિભાગ જુદે છે અને મેટી ઉંમરના કોલેજિયન વિદ્યાર્થીઓ જુદા છે. આજે બસો વિદ્યાથીએ પૂર નથી, તેમાં ગુજરાતી પણ છે. એકવાર તે જ્યારે (શ્રી નરસિંહભાઈ પટેલ હતા ત્યારે ) ગુજરાતી વિદ્યાથીઓની સંખ્યા ૭૫ સુધી ગયેલી સાંભળેલી, પણ આજે તો સાત જેટલી છે. એમાં ગુજરાતી બેન પણ હતાં, જે અમદાવાદના જૈન કુટુંબનાં છે અને હમણાં ચિત્રવિદ્યાને ઉચ્ચ અભ્યાસ કરવા જર્મની ગયાં છે. શાંતિનિકેતનમાં અવારનવાર બહારના મોટા મેટા વિદ્વાનેને બેલાવવામાં અને અમુક વખત સુધી રોકવામાં આવે છે. હમણાં ભાષાશાસ્ત્રી પ્રસિદ્ધ વિદ્વાન લેની ત્યાં છે. રજાના દિવસોમાં કલકત્તા વગેરે સ્થળેથી ખાસ પ્રોફેસરે આવે તે તેઓની પાસે તે તે વિષય ઉપર ખાસ પ્રવચન કરાવે છે. હું હતો તે દરમ્યાન કલકત્તા યુનિવર્સિટીના ગુજરાતી ભાષાના અધ્યાપક શ્રી તારાપરવાળાનાં વ્યાખ્યાને ચાલતાં હતાં, જેમાં કવિશ્રી પિત પણ હતા. ખાનપાનની સગવડ ગુજરાતથી જનાર સુખ–શીલીઓને કંઈક ફીકી લાગે, પણ જે ગુજરાતી વિદ્યાથીઓ ત્યાં રહે છે તેઓ બહુ સાદાઈથી અને સહનશીલતાથી વિદ્યાના લોભ ખાતર નભાવી લે છે. ત્યાંને ફિનો બોજો એ સૌથી વધારે બને છે, માસિક અટાર રૂપિયાની ફી એ ભોજન કરતાં પણ વધારે ખર્ચાળ છે. શ્રીનિકેતન એ શાંતિનિકેતનથી દક્ષિણ પશ્ચિમમાં છે, ત્યાં વિદ્યાર્થીઓ તે બહુ નથી, તેમાં પણ બે વિદ્યાર્થીઓ ગુજરાતી છે અને તે ગાયકવાડ સરકાર તરફથી શીખવા ગયેલા છે. એમાંથી એક ભાઈએ મને બહુ જ નેહપૂર્વક ફરીફરીને બતાવ્યું અને વર્ણન કરી સંભળાવ્યું. ત્યાંનું ખેતીવાડી ખાતું મોટું છે, પણ પાણી વિના સૂકું અને તેથી જ મારે મન તો નકામું પણ છે. એના ખર્ચને બદલો તેમ જ ત્યાં રોકાયેલા મોટા મોટા ઉપાધિધારી અધ્યાપકેના શ્રમને બદલે માત્ર પાણીના અભાવે ક્યારે મળી શકે તેમ લાગતું નથી. ઝાડ-પાઓના નમૂના ઘણું છે, પણ તે બધા સુકાય છે. મુરગી ઉછેરનો ધંધો ત્યાં શીખવવામાં આવે છે. એ પશ્ચિમની પ્રકૃતિમાંથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy