SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ] દેશન અને ચિંતન ભટ્ટાચાર્યજી એટલે હસમુખી, સરળ સ્વભાવ સરસ્વતી દેવી. તેઓને અધ્યાપન, લેખન અને સાધન એટલુ અધુ પ્રિય છે કે તેએ આશ્રમ બહાર ભાગ્યે જ કાંયે જાય છે. તેઓએ સંપાદન કરવા ધારેલા વિપાક અને જ્ઞાતાસુત નામના એ જૈન આગમાની લિખિત પ્રતિ મેળવવા અને જૈન ભડારા જોવાને ગુજરાત આવવાનું આમંત્રણ કર્યું. ઉત્તરમાં તેઓએ કહ્યું કે ‘હું જડ છું.’ મે’તરત જ કહ્યું,~~‘ત્યારે તે બહુ સારું. અમે ઉઠાવી લઈ જઈ એ તે વિરાધ નહિ કરી શકા! પછી તા એ વિદ્યાભવન થાડીવાર હાસ્યભવન બની ગયું. એ બધા પ્રસંગેા જતા કરી હું માત્ર ત્રણ જણના પરિચયનું થેાડુ' ચિત્ર આપું. (૧) આજકાલ બૌદ્ધ ગ્રંથા ઉપરાંત ભટ્ટાચાર્યજી જૈન ગ્રંથા ખાસ કરી આગમા શીખવે છે અને સાથે જ ત્યાંનું સંશોધન કરતા જાય છે, અને માર્મિક વિવેચનની ષ્ટિએ તુલના પણ કરતા જાય છે, એમને શિષ્ય પણ અનુરૂપ મળ્યા છે. અમૂલ્યચરણુસેન એક નવજુવાન ભગાળી છે. એ એમ. એ. એલએલ. મી. ના અને જૈન દર્શનના અભ્યાસ કરી રહ્યા છે. ભટ્ટાચાર્યજી પાસે તિબેટન લામા છે, જે તિબેટન અસ્પષ્ટ છાપવાળી પેાથીએ ઉપરથી ફરી સુંદર અક્ષરમાં નકલા ઉતારી લે છે. (૨) ક્ષિતિબાપુ એ ગુજરાતને જાણીતા હસન્મુખ અને ટુચકાકાર માર્મિક વિદ્વાન છે. ગમે તે પ્રસંગ હોય, વાત ગમે તે હોય તેમાં એમની વિવિધ અનુભવોથી વિવિધ રીતે ખૂલવાની જ. એ પેાતે અત્યારે માંદા છે પણ એમની બુદ્ધિ અને કલ્પના જરાયે મંદ નથી. જેમ માંદા છતાં એમનું શરીર પુષ્ટ છે, તેમ એમની કલ્પના અને અનુભવ વાતે। પણ પુષ્ટ જ છે. (૩) કવિશ્રી આવ્યા તેથી જ ક્ષિતિબાપુએ મને રાકી લીધા. એમનુ પ્રેમમિલન એમને અનુરૂપ જ હતું. પાસે બેસાડી એક બાળકને જેમ પિતા વિશ્વસ્ત ચિત્તે વાતેા કરે તેમ તેઓની પાસે ખેઠા પછી મને લાગ્યું. તેના કથનના સાર એ હતા કે મારી અપેક્ષા અહીં જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનેા અભ્યાસ દાખલ કરવાની ઘણા લાંબા વખત થયાં છે. હજી તેને ઝીલનાર કાઈ મળ્યા નથી. જૈના પેાતાની રહેણી પ્રમાણે રહેવા ધારે તેાયે અહીં સગવડ કરી શકાય. અલબત્ત, તેઓએ અહીં રહી અતડાપણું દૂર તે કરવું જ ઘટે. હમણાં એક દિગંબર ગૃહસ્થ તરફથી જે જૈન અધ્યાપક અહીં મૂકવામાં આવેલ છે તે બહુ જ સકુચિત દષ્ટિએ અને સાંકડે મને શકેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy