SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨] દર્શન અને ચિંતન મિત્રતાનો પાયો હતો. વિદ્યાધ્યયન અમારે આગળ વધારવું અને તેમણે પિતાના મિત્રો સાથે મળી આર્થિક અને બીજી જવાબદારી લેવી તે. આ પાયા ઉપર અમે બે મિત્રો અને ચારેક બીજા વિદ્યાથીઓ એમ છ જણે કશી ગંગાકિનારે અસી–ભદૈની ઘાટ ઉપર અધ્યયનસત્ર શરૂ કર્યું. બાબુજી ઝવેરાત ઉપરાંત બીજા અનેક વ્યવસાય કરતા. તેમની મુખ્ય પેઢી તો આગરામાં, પણ તેઓ અવારનવાર કાશી આવે. આમ છએક વર્ષ ચાલ્યું. દરમિયાન બાબુજી સાથે અમારો પરિચય ગાઢ બનતો ગયો. પરસ્પર વિશ્વાસ બંધાયે અને સાથે મળી વિચારે અને જનાઓ પણ કરતા રહ્યા કે અધ્યયન સમાપ્ત કરી શું શું કામ કરવાં ? ક્યાં કરવાં? અને કેવી કેવી રીતે કરવાં ? ઇત્યાદિ. એ જમાનો બંગભંગની ચળવળમાંથી જન્મેલ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યને હતો. અને સાથે જ મદનમોહન માલવિયાજીને હિંદુ વિશ્વવિદ્યાલયની સ્થાપનાના પ્રચંડ આંદોલનનો હતો. અમે વિચાર્યું કે વિદ્યા વિષયક જે જે કામ કરવાં તેનું કેન્દ્ર કાશી રાખવું અને જૈન સમાજને મધ્યવત રાખી વિદ્યાને લગતાં બધાં કામો ગોઠવવાં. આર્થિક પ્રશ્ન અને બીજા વહીવટી પ્રશ્નો એ બાબજી પોતે પોતાના મિત્ર સાથે મળીને ઉકેલે. આ વિચાર પ્રમાણે ઈ. સ. ૧૯૧૩–૧૪માં કામ કરવાનો સમય પાક્યો. અમે વિચાર્યું કે શરૂઆત આગરામાં કરો. પછી ય કાર્યકર્તાઓ મળે અને કામની દિશા તેમ જ પદ્ધતિ નક્કી થાય ત્યારે કાશીમાં બધું તંત્ર લઈ જવું. આ રીતે ૧૯૧૪માં હું સર્વપ્રથમ આગરા જઈ વસ્યો અને ત્યાં બેસી શું શું કરવું, કોના સહચારથી કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારી લીધું. પણ આ બધા વિચારમાં બાબુજી સાથે જ હોય અને આર્થિક પ્રશ્ન પરત્વે કે બીજા વ્યવહારૂ પ્રશ્ન પરત્વે અમે બધું તેમના ઉપર જ છોડી દઈએ. તેઓ દઢ સંકલ્પ અને જુસ્સાથી હંમેશાં મને એક જ વાત કહે કે “તમે ફાવે તે પેજના કરે, કામ કરે પણ કદી મૂંઝાશે નહિ. તેમના આવા ઉત્સાહથી હું પણ તે વખતની સમજણ અને પરિસ્થિતિ પ્રમાણે કામ વિચારતો, માણસો મેળવતો અને વિદ્યાર્થીઓને રાખતો. બાબુજી તદ્દન તરુણ હતા ને પત્ની ગુજરી ગઈ સંતતિ ન હતી. પિતા, માતા અને ભાઈઓએ બીજું સગપણ વિચાર્યું, પણ બાબુજી મરણપથારીએ પડેલ પત્નીને આપેલ છેલ્લા વચનને અનુસરી ફરી લગ્નમાં પડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy