SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૫૬] દર્શન અને ચિંતન મૂક્યો. તેઓએ પિતાની પ્રથમ કૃતિ જામનગરમાં વ્રજનાથ મહારાજની હવેલીમાં બનાવી. એ કૃતિ તે રૂપાને હિંડોળો, અને સેનાનું પારણું. આ કામ કરવામાં તેઓને માસિક ૧૫ રૂપિયા પગાર મળતો. ત્યાર બાદ રાજકેટ દરબાર માટે ૬ રૂપાની ખુરશીઓ, ૧ રૂપાનો કાચ અને એક રૂપાને છત્રપલંગ માસિક રૂ. ૩૨ના પગારે બનાવ્યા. ત્યાર બાદ જામનગરમાં જ પુરુષોત્તમ જસરાજ લઠેટવાળાના મંદિરમાં રૂપાનાં કમાડે, રૂપાનાં સિંહાસન અને ઠાકુરજીના બે લાકડાના ઘડા અને બે હાથી બનાવ્યા. ત્યાર પછી જૂનાગઢ દરબારમાં, જસા જામના દરબારમાં, કિસનગઢ દરબારમાં, સેના રૂપા અને લાકડાના નકશીવાળા અનેક નમૂના તેઓએ બનાવ્યા. હાથીદાંત ઉપર પણ તેઓએ ઘણું કામ કર્યું છે. કદાચ આજે આમાંના ઘણા નમૂનાઓ વિલાયતમાં અમીરના મહેલે શોભાવતા હશે. મિસ્ત્રીના લાકડા - ઉપરના નકશીકામના નમૂના તરીકે અમદાવાદ સ્વામીનારાયણના મંદિરમાં ગણપતિની મૂર્તિ છે. જેનમંદિરે પણ તેઓની કૃતિથી ભૂષિત છે. - આજે જિંદગીના છેવટના ભાગમાં સમગ્ર અનુભવના પરિપાક રૂપે પિતાની કારીગરી એ-મિસ્ત્રી એક જૈન મંદિરમાં દાખલ કરે છે. આ મંદિર લાકડાનું અને તેનું ખોખું રૂપાનું છે. મંદિર કરાવનાર જામનગરના જાણીતા ગૃહસ્થ શેઠ કેશવજી માણેક છે. એ શેઠ જેવા અથંરક્ષક મેં બહુ ઓછા જોયા છે, છતાં તેઓ મને વારંવાર કહેતા કે આવા વૃદ્ધ અનુભવી મિસ્ત્રીની કારીગરી ગમે તેમ કરીને પણ સાચવી જ લેવી. અને એ જ દૃષ્ટિથી મારા સ્નેહી શેઠે આ મંદિરનું કામ કરાવવા માંડયું છે. માત્ર શેઠ પિતે જ એકલા ખંતીલા નથી પણ તેઓનું આખું કુટુંબ આ મંદિરની રચના માટે મમત્વ ધરાવે છે. તે એટલે સુધી કે આખું કુટુંબ આ મિસ્ત્રીને વૃદ્ધ પિતારૂપે અગર વૃદ્ધ ગુરુરૂપે માની તેઓની બધી પરિચર્યા ઉઠાવે છે. મિસ્ત્રીને માસિક રૂા. ૧૨૫ મળે છે અને ખાનપાન વગેરેની - બધી પૂરી સગવડ. પણ શેઠ જેવા કુશળ તેવા મિસ્ત્રી કૃતજ્ઞ. ગયા વર્ષમાં મિસ્ત્રીને ન્યૂમોનિયા થ, શેઠે પિતાના પિતા જેટલી જ સેવા કરી; એમાં સ્વઉપકાર અને પરોપકાર બને હતાં. મંદિરનું કામ હજી ચાલે જ છે. શેઠના સમગ્ર કુટુંબની સેવાથી મિસ્ત્રી બચી ગયા. એકવાર મેં પૂછવું, “દાદા ? પગાર એ લે છો ?” તેઓને ઉત્તર એક ગંભીર તપસ્વી જેવો હતે. માસિક રૂ. ૧૨૫ છે, પણ આ કુટુંબે હમેશાં, અને મારી જીવલેણ --બીમારીમાં જે સેવા કરી છે તે જોતાં હું કશું જ કહી શકતા નથી.” દેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy