SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૧ અજલિ, અસામ્પ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યને ઉત્કષ ઈચ્છનાર પામી ભાઈ આને પ્રેર્યાં અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સાસાયટી સ્થપાઈ. આમ જૈન-ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થી એને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સેાસાયટી સુનિષ્ણાત વિદ્વાનેાના ચિંતનલેખનને ભૂત રૂપ આપે. આ રીતે આ ત્રણે ય અંગે! એવી રીતે સકલિત થયાં છે કે તે એકબીજાનાં પૂરક અને પોષક બની માત્ર જૈનપરંપરાની જ નહિ, પણ ભારતીય–અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સતાષી રહ્યાં છે. હું અત્યારે ત્યાંની જે સસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તક અને પત્રિકાએ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવતુ લમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠો, આટલુંય સ્મરણ આપવાના મારા ઉદ્દેશ એટલો જ છે કે શ્રી મેાહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિ વાય પ્રેરણા ન હોત અને કૉન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિને ઉપયાગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હેાત તેમ જ ચેરને અંગેની જરુરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયા જ ન હત, ગયા હૈાત તો સ્થિર થયા ન હેાત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થયા છે તેની શકયતા પણ ભાગ્યે જ આવી હેાત. આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી માહનભાઈ સાથે મારા અને કેવા સંબધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ થયું હાય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કોન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત માહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારુ શુ સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવા અને એ દ્વારા કોન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું એને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ કરજમાંથી ચૂકું તો મારે અહી આવવાના ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કાઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હાતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તો જ તો પ્રતીક છે. સમારલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy