________________
અંજલિ
[સદ્ગત શ્રી મેહનલાલ દ. દેસાઈની સાહિત્યસેવા અને નિષ્ઠાને]
[૨૧]
સહૃદય મિત્રા,
આભારવિધિના ઔપચારિક ભારમાં દુખાયા વિના જ આપણે મુખ્ય પ્રસંગ ઉપર આવીએ. શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક કૉન્ફરન્સે મને પોતાને સમજીને જ ખાલાવ્યે છે. હું પણ એ ભાવથી જ આવ્યો છું. સદ્ગત શ્રી મેાહનલાલભાઈ દેસાઈનું તૈલચિત્ર કૉન્ફરન્સ તૈયાર કરાવે અને તેના અનાવરણ વિધિ માટે મને ખેલાવે ત્યારે સહેજે વિચાર આવે છે કે કોન્ફરન્સ, મેાહનભાઈ અને હું એમ ત્રણેના પરસ્પર શા સબંધ હતા અને હજીયે છે. વળી, એ પણ જિજ્ઞાસા થયા વિના ન જ રહે કે હું કોન્ફ્રન્સને કઈ દષ્ટિએ જોત અને સમજતા રહ્યો છું, તેમ જ માહનભાઈનું મારી દૃષ્ટિએ શું સ્થાન હતું?
હું કૉન્ફરન્સના નખશિખ ઇતિહાસ નથી જાણતા એ ખરું, પણ એના મુખ્ય સ્વરૂપ અને મુખ્ય પ્રવૃત્તિ વિશે થોડીધણી માહિતી તા છે જ. હું જાણું છું ત્યાં લગી શ્વેતામ્બર મૂર્તિ પૂજક પરરંપરાની ખીજી કાઈ પણ સંસ્થા કરતાં કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ અને બંધારણ ઉદાર તેમ જ વિશાળ રહ્યાં છે. પરિસ્થિતિવશ તેનું મુખ્ય કાર્યાલય મુંબઈમાં હેાવા છતાં તેની ખેઠકે અને વાર્ષિક અધિવેશના માત્ર મુંબઈમાં જ પૂરાઈ રહ્યાં નથી. પૂર્વાંમાં કલકુત્તા, ઉત્તરમાં પંજાબ, પશ્ચિમમાં કાયિાવાડ, રાજસ્થાન અને ગુજરાત તેમ જ દક્ષિણમાં પૂના લગી સમયે સમયે એનાં અધિવેશનો થતાં રહ્યાં છે અને તે તે પ્રાન્ત કે પ્રદેશના સગૃહસ્થા પ્રમુખપદ પણ શોભાવતા રહ્યા છે. આ સૂચવે છે કે પ્રથમથી જ કૉન્ફરન્સનું દૃષ્ટિબિંદુ સમગ્ર મૂર્તિપૂજક સધને પોતાની સાથે લેવાનું રહ્યું છે અને એ પણ કબૂલ કરવું જોઈ એ કે આ દૃષ્ટિબિન્દુને સંધે હક્યથી આવકાર્યું પણ છે. તેથી જ તેને દરેક પ્રાન્ત અને પ્રદેશમાંથી હાર્દિક આવકાર મળેલા અને ઉદ્દામ, મધ્યમ તેમ જ જૂનવાણી વિચારસરણી ધરાવનાર ભાઈ–બહેને પણ કૉન્ફરન્સને અપનાવતાં રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org