SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ સ્મરણો [૧૯] કાન્તની કૃતિઓ ઉપરથી અને બીજા મિત્રોએ તેઓશ્રીના કરાવેલ પરિચય ઉપરથી મારા ઉપર જે છાપ પડી છે તે આ સ્થળે હું નથી જણાવતે. અહીં તે તેઓ સાથે થયેલ સાક્ષાત્ સમાગમ અને તેના પરિણામે તે વખતે તથા પાછળથી થયેલ મારા ઉપરની અસરે બહુ જ ટૂંકમાં જણાવવા ઈચ્છું છું. હું કાન્તના સમાગમમાં ત્રણ વાર આવ્યો છું અને ત્રણ વાર ભાવનગરમાં. એમાંના એક પણ સમાગમ માટે મેં કે કાન્તશ્રીએ પ્રયત્ન નહિ કરેલ. એ સમાગમ માત્ર કેટલાક મધ્યવર્તી સહૃદય વિદ્યાવિલાસીઓના પરિણામે જ ગણાય. લગભગ તેર વર્ષ પહેલાં ગ્રીષ્મ ઋતુમાં હું પહેલવહેલે ભાવનગર ગયો ત્યારે આત્માનંદ જૈન સભામાં ‘કાન્ત’ની મુલાકાત માટે એક નાનકડું મિત્રમંડળ એકઠું થયેલું. બીજી વાર અસહયોગના જમાનાઈ. સ. ૧૯૨૧-૨૨ માં સાંજે ફરવા જતાં રસ્તામાં મળવું થયું. ત્રીજી વાર ઈ. સ. ૧૯૨૨-૨૩ માં ગાંધીજીના ૧૮ મી તારીખના જેલદિવસ નિમિત્તે ભરાયેલી સાર્વજનિક સભામાં અમે બન્ને મળ્યા. પહેલીવાર મળ્યા ત્યારે કાન્ત પરીક્ષક અથવા પ્રશ્નકર્તા તરીકે મારી સામે હતા. કદાચ તે વખતે મિત્રોએ ઉપસ્થિત કરેલા એ સમાગમનો હેતુ જ હું ન જાણું તેવી રીતે કાન ભારત મારી પરીક્ષા કરવાનું હોય એવી સાચી કે બેટી છાપ મારા મન ઉપર પાછળથી પડેલી. ગમે તેમ છે, પણ તે વખતના પરીક્ષક કાન્ત સામે હું કાશીવાસી પંડિતની જેમ પરીક્સ સ્થાન લઈ આદરપૂર્વક બેઠેલે હતે. કાન્ત મળતાં વેંત જ મને “પ્રામાણ્ય વિષે શાસ્ત્રીય પ્રશ્નો કર્યા, જેનું કાંઈક વિસ્તૃત વર્ણન કાન્તમાલા નામના પુસ્તકમાં આપ્યું છે. બીજી વાર અજાણપણે રસ્તે ચાલ્યા જતા કઈ મિત્રે ધ્યાન ખેંચવાથી કાનતે મને ઊભે રાખે અને કુશલપ્રશ્ન બાદ થોડાં વાક્યોમાં ફરી મળવાની ઈચ્છા જણાવી જુદા પડ્યા. ત્રીજી વાર એક સાર્વજનિક સભામાં મને વ્યાખ્યાન આપવા બોલાવ્યો. બોલાવવામાં કાન્તને જ હાથ હતા, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy