SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય જિનવિજયજી [૧૦૧ મિતભાષિત અને એકાંતપ્રિયતાની પ્રકૃતિ પ્રમાણે, અભ્યાસ, વાચન અને લેખન ચાલુ જ રાખતા. " એક બાજુ સાધુજીવનમાં રાત્રીએ દીવા સામે વંચાય નહિ અને બીજી બાજુ વાંચવાની પ્રબળ વૃત્તિ કે લખવાની તીવ્ર પ્રેરણા રેકી શકાય પણ નહિ. સમય નિરર્થક જવાનું દુઃખ એ વધારામાં. આ બધાં કારણેથી તેમને એકવાર વીજળીની બૅટરી મેળવવાનું મન થયું. આજથી લગભગ ૧૩ વર્ષ પહેલાં જ્યારે હું તેઓના પરિચયમાં પહેલવહેલે આવ્યો ત્યારે તેમણે મને બૅટરી લેતા આવવાનું કહ્યું. હું બૅટરી અમદાવાદથી પાટણ લઈ ગ, અને એને પ્રકાશે તેમણે તદન ખાનગીમાં કોઈ સાધુ કે ગૃહસ્થ ન જાણે તેવી રીતે લખવા અને વાંચવા માંડયું. જો હું ન ભૂલતો હોઉં તે તિલકમંજરીના કર્તા ધનપાળ વિશે એમણે જે લેખ લખેલો છે તે એ જ બૅટરીની મદદથી. તે સિવાય બીજું પણ તેમણે તેની મદદથી ઘણું વાંચ્યું અને લખ્યું, પરંતુ દુદેવે બૈટરી બગડી અને વિશ્ન આવ્યું. આખો દિવસ સતત વાંચ્યા-વિચાર્યા પછી પણ તેમને રાતે વાંચવાની ભૂખ રહેતી. તે ઉપરાંત અભ્યાસનાં આધુનિક ઘણું સાધન મેળવવાની વૃત્તિ પણ ઉત્કટ થતી હતી. છાપાં, માસિકે અને બીજું નવીન સાહિત્ય એ બધું તેમની નજર બહાર ભાગ્યે જ રહે. તેઓ અન્ય જૈન સાધુઓની પેઠે કોઈ પંડિત પાસે ભણતા. પણ ભણવાને આરામ અને અંત લગભગ સાથે જ તે. સંસ્કૃત સાહિત્ય હોય કે પ્રાકૃત એ બધું એમણે મુખ્યપણે સ્વાશ્રિત વાચન અને સ્વાત્રિત અભ્યાસથી જ જાણ્યું છે. જેની દૃષ્ટિ તીક્ષ્ણ હોય અને પ્રતિભા જાગરુક હોય એ ગમે તેવાં પણ સાધનોનો સરસ ઉપયોગ કરી લે છે. એ ન્યાયે તેઓ ભાવનગર, લીમડી, પાટણ આદિ જે જે જૈન સ્થળોમાં ગયા અને રહ્યા ત્યાંથી તેમણે અભ્યાસને ખોરાક ખૂબ મેળવી લીધું. પરંતુ જૂની ધોને અંગે જ્યારે તેઓ આધુનિક વિદ્વાનોનાં લખાણો વાંચતા ત્યારે વળી તેમની જિજ્ઞાસા ભભૂકી ઊઠતી અને જૈન સાધુજીવનનું-રૂઢિબંધન ખટકતું. તેઓ ઘણીવાર મને પત્રમાં લખતા કે તમે ભાગ્યશાળી છો. તમારી પાસે રેલવેની લબ્ધિ છે, ગમે ત્યાં જઈ શકે છે અને ગમે તે રીતે અભ્યાસ કરી શકે છે. એ લખાણુ શેખીન મનોવૃત્તિનું નહિ પણ અભ્યાસપરાયણ જીવનનું પ્રતિબિંબ છે, એમ મને તે તે વખતે જ લાગેલું; પણ આજે એ * સૌને પ્રત્યક્ષ છે. પાટણના લગભગ બધા ભંડારે, જજૂનાં કલામય મંદિર, અને બીજી જૈન સંસ્કૃતિની અનેક પ્રાચીન વસ્તુઓના અવલેકને એમની જન્મસિદ્ધ ગષણવૃત્તિને ઉતેજી અને ઊંડો અભ્યાસ કરવા તેમ જ લખવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy