SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦] દર્શન અને ચિંતન ઉગમાં તેમણે ખાવાપીવાની પણ પરવા ન રાખી. પણ પુરુષાર્થને બધું અચાનક જ સાંપડે છે. કેઈ ગામડામાં શ્રાવકે પજુસણમાં કલ્પસૂત્ર વંચાવવા કેઈ યતિ કે સાધુની શેધમાં હતા. દરમિયાન કિસનજી પહોંચ્યા. કોઈમાં નહિ જોયેલું એવું ત્વરિત વાચન એ ગામડિયાઓએ એમનામાં જોયું અને ત્યાં જ તેમને રેકી લીધા. પજુસણ બાદ ડી. દક્ષિણું બહુ સત્કારપૂર્વક આપી. કપડાં અને પૈસા વિનાના કિસનજીને મુસાફરીનું ભાતું મળ્યું અને તેમણે અમદાવાદ જવાની ટિકિટ લીધી. એમણે સાંભળેલું કે ગુજ. રાતમાં અમદાવાદ મોટું શહેર છે અને ત્યાં મૂર્તિપૂજક સંપ્રદાય મટે છે. એ સંપ્રદાયમાં વિદ્વાન બહુ છે અને વિદ્યા મેળવવાની બધી સગવડ છે. આ લાલચે ભાઈ અમદાવાદ આવ્યા, પણ પુરુષાર્થની પરીક્ષા એક જ આફત પૂરી થતી નથી. અમદાવાદની પ્રસિદ્ધ વિદ્યાશાળા આદિમાં ક્યાંય ધડો થયો નહિ. પૈસા ખૂયા. એક બાજુ વ્યવહારની માહિતી નહિ અને બીજી બાજુ જાતને જાહેર ન કરવાની વૃત્તિ અને ત્રીજી બાજુ ઉત્કટ જિજ્ઞાસા, એ બધી ખેંચતાણમાં એમને બહુ જ સહેવું પડ્યું. અંતે ભટકતાં ભટકતાં મારવામાં પાલી ગામમાં એક સુંદરવિજયજી નામના સંવેગી સાધુને ભેટો થયે, જેઓ અત્યારે પણ વૃદ્ધાવસ્થામાં વિચરે છે, અને અત્યાર સુધીનાં બધાં પરિવર્તનમાં સરળ ભાવે એમ કહેતા રહે છે કે તે જે કરશે તે ઠીક જ હશે. એમની પાસે તેમણે સંવેગી દીક્ષા લીધી અને જિનવિજયજી થયા. એમના ગુરુ તરીકેને આશ્રય તેમણે વિદ્વાનની દૃષ્ટિએ નહિ પણ તેમના આશ્રયથી વિદ્યા મેળવવામાં વધારે સગવડ મળશે એ દૃષ્ટિએ લીધેલ. આ બીજું પરિવર્તન પણ અભ્યાસની ભૂમિકા ઉપર જ થયું. થોડા વખત બાદ માત્ર અભ્યાસની વિશેષ સગવડ મેળવવા માટે જિનવિજયજી એક બીજા જૈન સુપ્રસિધ્ધ સાધુના સહવાસમાં ગયા. પરંતુ વિદ્વતા અને ગુરુપદના મેટા પટ્ટ ઉપર બેઠેલ સાંપ્રદાયિક ગુઓમાંથી બહુ જ ઓછાને એ ખબર હોય છે કે કયું પાત્ર કેવું છે અને તેની જિજ્ઞાસા ન પિષવાથી કે પિષવાથી શું શું પરિણામ આવે ? જો કે એ સહવાસથી તેમને જેવાજાણવાનું વિસ્તૃત ક્ષેત્ર તે મળ્યું પણ જિજ્ઞાસાની ખરી ભૂખ ભાંગી નહિ. વળી એ ઉગે તેમને બીજાના સહવાસ માટે લલચાવ્યા અને પ્રસિધ્ધ જૈન સાધુ પ્રવર્તક કાંતિવિજયજીના સહવાસમાં તેઓ રહ્યા. ત્યાં તેમને પ્રમાણમાં ઘણું જ સગવડ મળી અને તેમની સ્વતસિદ્ધિ ઐતિહાસિક દૃષ્ટિને પિષે અને તૃપ્ત કરે એવાં ઘણાં જ મહત્ત્વનાં સાધને મળ્યાં. ગમે ત્યાં અને ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સહવાસમાં તેઓ રહેતા છતાં પિતાની જન્મસિધ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy