SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૮] દર્શન અને ચિંતન રીતે મહાયાન ભાવનાનું પ્રાધાન્ય દર્શાવ્યું, જે જૈન પરંપરાએ પણ ધડો લેવા જેવું છે. હવે રાજકારણ, સમાજકારણ કે અર્થકારણ એકેએક ક્ષેત્રમાં સંકુચિત થયે પોસાય તેમ નથી. એવી સ્થિતિમાં જે ધર્મ પણ પંથ અને સંપ્રદાયની સંકુચિત સીમાઓમાં પુરાઈ તદનુસારી જ વિચાર–આચાર કરે છે તે પણ હવે ટકી ન શકે. ગાંધીજીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહાયાની માનસ જીવી બતાવ્યું છે; અને આજે આપણે જોઈએ છીએ કે આચાર્ય વિનોબા એ 'ભાવનાને કેવી રીતે વિકસાવી રહ્યા છે તેમ જ કેવી રીતે જીવી બતાવે છે. આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસ્તુત લઘુ પુસ્તિકાનું મૂલ્ય વધારે અંકાશે એ નિઃશંક છે. અને તે રીતે “આત્મસિદ્ધિ” પછી આ પુસ્તકની પસંદગી સવેળાની છે. એમ તે શ્રી. મુકુલભાઈએ કૌશાંબીજીનું જીવનચરિત્ર સંક્ષેપમાં જુદું આપ્યું છે. એમની “આપવીતી” અને બીજી સામગ્રીને આધારે એ ચરિત ટૂંકમાં પણ કૌશાંબીજી વિષે બધી જરૂરી માહિતી પૂરી પાડે છે. કૌશાંબીજીનું જીવન જે વાંચે તેને નિરાશા તે સ્પર્શી જ ન શકે. નિરાશા અને અંધકારના ઊંડા ખાડામાંથી સતત સ્વપ્રયત્ન કૌશાંબીજી કેવી રીતે પ્રકાશના માર્ગ ઉપર આવ્યા અને અનેકેના ગુરુ બન્યા એનું ચિત્ર એમના સંક્ષિપ્ત -જીવનચરિત્રમાંથી પણ અવગત થાય છે. એટલે તે વિષે અહીં મારે કાંઈ લંબાવવું નથી. તેમ છતાં, તેમની સાથે મારે જે અનેક વર્ષો લગી સતત પરિચય રો, તેમની પાસે મેં જે કાંઈ બૌદ્ધ શાસ્ત્રો વિષે મેળવ્યું, અને છેલ્લે ૧૯૪૬માં તેમના અનશનના સાક્ષી થવાને પ્રસંગ આવ્યું, તે બાબત કાંઈક લખું તે તે વાચકને ઉપયોગી પણ થશે; અને એમના જીવન અંગે કેટલીક હજી લગી કદાચ અજ્ઞાત રહેલી બાબતે પ્રકાશમાં આવશે. - ઈ. સ. ૧૯૧૭માં એમને ઘેર જ હું પૂનામાં કૌશાંબીજીને પ્રથમ વાર મળે, જ્યારે કૃપલાનીજી પણ હતા. ચર્ચા અહિંસાથી શરૂ થઈ અને મારે ઘણા વખત પહેલાંથી બૌદ્ધ પિટકે ગુરુમુખથી શીખવાને સંસ્કાર જાગે. પણ એ વાત તે વખતે ત્યાં જ રહી. ૧૯૨૨માં કૌશાંબીજી ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્વ મંદિર ખાતે જોડાયા. મને આ તક મળી. મેં પણ ગુજરાત વિદ્યાપીઠમાં રીતસર જોડાવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy