SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ અ, [ ૮૭ હતી, અને તેમનું મન સંપ્રદાયથી પર હતું. એટલે તેમના નામ સાથે આવું એક લઘુ પણ નિત્યપાઠે પુસ્તક ગુજરાત વિદ્યાપીઠે પ્રસિધ્ધ કરે તે આવકારદાયક છે. હું એમ માનું છું કે, ધર્મોની ઉત્તરાત્તર વધતી જતી વ્યાપક ભાવના સાથે આ પારમિતાઓને પૂરેપૂરા સુમેળ છે. : પ્રો. વિન્ટનિષ્ઠે શાંતિદેવ વિષે લખ્યું છે.૧ તેમણે ‘ ધિચર્યાવતાર ’ને લક્ષીને જે વર્ષોંન કર્યું છે, તે તેમના મન ઉપર શાંતિદેવ વિષે કેવી અસર થયેલી એને પુરાવા છે. આવા એક ગ્રંથનું સળંગ ભાષાંતર ગુજરાતીમાં હોય તો તે ઇચ્છવા જેવું છે, પણ એવા સમય આવે તે પહેલાં પ્રસ્તુત લઘુ પુસ્તિકા ગુજરાતી વાચકાને શાંતિદેવ તરીકે આકર્ષિત કરશે એ નિઃશંક છે. મહાયાની ભાવનાની આપણા દેશના અનેક સંપ્રદાયેા ઉપર ભારે અસર થઈ છે. ભગવદ્ગીતા ખરી રીતે ભાગવત પર પરાને આશરી અનાસક્ત કયેાગના ઉપદેશ કરે છે, ત્યારે તે પેાતાની રીતે આવી ભાવના જ ઉપસ્થિત કરે છે. એ જ રીતે શાંતિદેવ પછી લગભગ સો વર્ષ બાદ થયેલ સુપ્રસિદ્ધ જૈન આચાય હરિભદ્ર પણ મહાયાની ભાવનાથી રંગાયેલા છે. આમ તો જૈન પર'પરા વૈયક્તિક મેાક્ષવાદી જ રહી છે. તેમ છતાં શાંતિદેવ જેવાના ગ્રંથામાંની મહાયાની ભાવનાએ હરિભદ્રનું મન જીત્યું લાગે છે, આને પુરાવા એમના યોગબિંદુ' ગ્રંથમાં છે. હરિભદ્ર જૈન પરંપરાસ`મત ભિન્નગ્રંથી અર્થાત્ જેણે માહત્રથી તાડી હોય એવા સમ્યક્-ષ્ટિ સાધકની બૌદ્ધસંમત ખાધિસત્ત્વ સાથે તુલના કરે છે; અને કહે છે કે, જો ભિન્નગ્રંથી સાધક જગદુલ્હારના સંકલ્પ કરે, તો તે તીથંકર—સૌદ્વારક~~થાય છે; અને જો સ્વજન આદિના ઉદ્ધાર કરવાના સંકલ્પ કરે તેા તે ગણધર~~~તી કરના અનુગામી થાય છે; અને જો પોતાના જ ઉદ્ધારના સંકલ્પ કરે તો તે મુણ્ડકૈવલી—માત્ર આત્મ-કલ્યાણુ કરનાર થાય છે. " હરિભદ્રનું આ કથન સ્પષ્ટ સૂચવે છે કે, આત્માદારની ભાવના કરતાં સૌારની ભાવના એ જ ચડિયાતી અને સ્પૃહણીય છે. આ ભાવનાનું બીજું નામ એ જ મહાયાન ભાવના. એક રીતે હિરભદ્રે તુલના કરી, પણ બીજી ૧. જીએ A History of Indian Literature Vol. 11 ૨. જુએ ‘ યાબિંદુ', શ્લોક ૨૮૩ થી ૨૯૦, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy