SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ અર્ધ્ય, [ ૧ ૧૯૪૬ના એપ્રિલની ૨૦ મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલા ને ત્યાં જ રાકાયેલા. દરમ્યાન ચૈતન્યજી જે ક્યારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મુનિવેષ છેડી સતબાલની પેઠે રાતદિવસ સમાજ-સેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા ખેલાવ્યા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પરિચિત હતા. તે પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડા રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંખીના પરિચિત પણ ખરા. મે' તેમને જ કૌશાંખીજી સાથે જવાનું કહ્યું અને તે ગયા પણ ખરા. હરીઘાટ જતાંવેંત કૌશાંીજીએ પ્રથમ તો એકાશન શરૂ કર્યાં. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એને પણ ત્યાગ કર્યાં. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુને રસ પણ આપવા માંડે. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રાજેરોજના પૂરા સમાચાર ચૈતન્યજી અમને પાસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તે કૌશાંબીજીના શારીરિક અને માનસિક બધા ફેરફારોની તેાંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચૈતન્યજીએ પરિચર્ચાના એવા સુંદર અને સર્વાંગીણ પ્રાધ કર્યો હતો કે કૌશાંબીજીની ઉગ્ર પ્રકૃતિ પણ તેથી પૂર્ણ પણે સંતોષાઈ હતી. ચૈતન્યજી ડૉ. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગેાપવવા ઇચ્છે છતાં એમના જેવા વિશ્વવિખ્યાત માણસ અનશન ઊપર ઊતરે અને એ વાત સાવ અતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પેાતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખનૌ વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યુ` કે ગમે તે ભાગે કૈાશાંબીજીના પ્રાણ બચાવેા. એવા માણુસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યને તાર કર્યો કે, કૈાશાંબીજી ઉપવાસ છેાડી દે. કૌશાંબીજીએ જવાબ અપાવ્યા કે, ' બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તે જ હું ઉપવાસ છેડવાને વિચાર કરુ....' એક ખાજી કૌશાંખીજીના અટલ નિણૅય હતા અને ખીજી ખાજુ ચોમેરથી ઉપવાસ છે।ડાવવાના પ્રબળ પ્રયત્ના પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીના કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ ફેરવી ન શકતા. ખેાલી પણ ન શકતા. બધી શારીરિક હાજતા સૂતાં સૂતાં જ ચૈતન્યજીના યાગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ, ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy