SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ છે. [૭૩ દુભાતી હોય તે તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે બહુજન વિહાર” શા માટે છોડે છે ? પણ તેમણે એ વિહાર છેડ્યો તે છોડો જ. તેમને પિતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “નદીવ્યાઘન્યાય” જે હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારે ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદનો વિષે ક્યાંક ક્યાંક મારું જુદું પડતું દૃષ્ટિબિંદુ. હું ગમે તેટલા મૃદુભાવે લખું તોય કૌશાંબીજના અમુક વિચારનો વિરોધ થતું જ હતું. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢ્યું. જો કે મેં એમાં કૌશાંબીઝની અમુક એકાંગી ઉગ્ર વૃત્તિનો પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે ક્યારેય અંતર પડયું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉતરેતર પ્રેમ જ નિહાળી શકતો. એક અથવા બીજા કારણે મારું એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નખી વાત છે, પણ અહીં તે પ્રશ્ન કૌશાંબીજીની મકકમ વૃત્તિ અને નિખાલસતાને છે. કૌશાંબીજી “બહુજન વિહાર” છોડી સારનાથ આવ્યા અને ત્યાં સીલેની તેમ જ બીજા બૌદ્ધ ભિક્ષુકોના આગ્રહથી એક ઝૂંપડી જેવા સ્થાનમાં રહ્યા. બધા જ ભિક્ષુકે તેમને ગુરુવર્ માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઈચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલે હતું કે કૌશાંબીજીને ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતે અર્થસંચય પસંદ ન હતું. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીજીને સિધ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયને મેળ છે ? જો કે, બીજા બધા બૌદ્ધો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કઈ ચાલુ પરંપરા વરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છેડી દીધું અને ફરી કાશી વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy