SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્ય [ જ્યારે તેમણે હિંદુ યુનિવર્સિટીમાંથી વિદાય લીધી ત્યારે પંડિતે કે ઑફેસરે, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ એ બધાને એ અનુભવ થયો કે હવે આ માણસ યુનિવર્સિટીમાં મળ સુલભ નથી. મેટા હોદ્દેદારને ત્યાં ગમે તે માણસ સરળતાથી જઈ શકતો નથી, પણ ધ્રુવ જી વિશે એમ ન હતું. જ્યારે જાઓ ત્યારે એમની બેઠક મુદ્વાર. કઈ પટાવાળો રોકે જ નહિ; જનાર સાધારણ વિદ્યાથી હેય, પંડિત હોય કે ઑફેસર હેય. મારા કાશી આવ્યા પછી તેઓ લગભગ પાંચેક વર્ષ અહીં રહ્યા. યુનિ. વર્સિટીમાં અનેક કલેજે, અનેક નાની મોટી સંસ્થાઓ અને અનેક વિદ્યાર્થી મંડળ, જાતીય મંડળે અને સાંપ્રદાયિક મંડળો. જ્યારે જુઓ ત્યારે મિટિંગને પ્રવાહ ચાલતો જ હોય અને હમેશાં મૅફેસરની કલબમાં તે કાંઈક ને કાંઈક હોય જ. પણ એક દિવસમાં થતી અનેક મિટિંગમાં પણ ધ્રુવજી તે હોય જ અને તે મોટે ભાગે પ્રમુખસ્થાને જ હોય. તેમને અનેક વિષમાં પ્રસંગાનુરૂપ બોલવાનું પણ હેય. પરંતુ મેં કદી જોયું કે સાંભળ્યું નથી કે ધ્રુવજી કાંઈ અપ્રસ્તુત બોલ્યા હોય અગર વધારે પડતું બોલી નાખવાના આ યુગના અભખારાને વશ થયા હોય. આ બ્રાહ્મણસુલભ વિદ્યાવૃત્તિ અને શ્રમણસુલભ વિકસિત સંયમવૃત્તિ એ જ ધ્રુવજીની વિશેષતા છે અને તેથી જ તેઓ જી પદે પહોંચ્યા. છેલ્લે તેમની મિલનસારવૃત્તિ વિશે થોડુંક લખી દઉં, કારણ એની વિરુદ્ધ મારે મિથ્યા પૂર્વગ્રહ બંધાયું હતું. જ્યારે તેઓ અમદાવાદ આવે ત્યારે પિતાના બધા જ પરિચિતને મળે અને કોઈ ન મળ્યું હોય તે યથાસંભવ તેમને ત્યાં પહોંચે. તેઓ ઘણી વાર મારે ત્યાં બ્રહ્મક્ષત્રિય સંસાયટીમાં અચાનક આવી ચઢે. એકવાર મેં કહ્યું, “આપ શા માટે પધાર્યા ? હું આવવાનો જ હતો. તેમણે કહ્યું, “અહીં એક મારા પરિચિત મિત્રનાં વિધવા છે. તેમને તે મળવું જ હતું. તે પછી તમને શા માટે તકલીફ આપું ?” ભાર કાશી આવ્યા પછી તે મેં એવું જોયેલું કે જ્યારે પણ રજામાં અમદાવાદ હોઈએ ત્યારે તેઓશ્રી ઘેર ડેકિયું કરી જ જાય. હું ૧૯૩૮ માં ઓપરેશનમાંથી ઊઠી અમદાવાદ આવ્યું અને કાંઈક સ્વસ્થ થયે ધ્રુવજીને બંગલે જવા નીકળ્યો. રસ્તામાં મને જોઈ કહ્યું કે “તમે ક્યાં જાઓ છો ? હું જ તમને મળવા આવવાને હતે.” મેં કહ્યું, “હવે આપણે અહીં જ મળી લીધું. એટલે તકલીફ ન લેશે.' તેમણે કહ્યું, “ના, હું તે મારા સંકલ્પ પ્રમાણે બીજી વાર તમારે ઘેર જ આવવાને. રસ્તા ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy