SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] દૃન અને ચિંતન ગાંધીજીના આશીર્વાદ જોઈ એ. હું તપસ્વીના આશીર્વાદમાં માનનાર છું.' ઇત્યાદિ. કયાં જન્મે નાગર બ્રાહ્મણ અને શિક્ષણે તથા કાર્યે નવા રંગથી રંગાયેલ અને કયાં આવી તપસ્વીના આશીર્વાદની બુદ્ધિશુદ્ધ શ્રદ્ધા ! અહિંસા અને તપની બુદ્ધિશુદ્ધ ભૂમિકામાંથી જ તેમનામાં સમન્વયવૃત્તિ કે જૈન પરિભાષામાં અનેકાંતવૃત્તિના ઉદય થયેલા. તેમનાં ગમે તે વિષયનાં લખાણા કે ગમે તે વિષય પરત્વેનાં ભાષણે જુએ તો તરત સમજાશે કે એમણે પેાતાના વિચારમાં પોતાની જ ઢમે અનેકાંત ધટાવેલા હતા, જેમ ગાંધીજીએ પેાતાના વિચાર અને કાર્યમાં પેાતાની ઢબે ઘટાવેલે છે. ધ્રુવજીએ કુલપર પરાગત વિદ્યાસંસ્કારને કેટલા વિશાળ પ્રમાણમાં અને કેટલી વિશદ રીતે વિકસાવ્યો હતો એ તેમના પરિચયમાં આવનાર અને તેમનું સાહિત્ય વાંચનાર સૌ જાણે છે. પણ તેમની સંસ્કારશુદ્ધિ અને ભાષાસૌદ્ધ વિશે કાંઈક લખવું આવશ્યક છે. ખાસ કરી જે નવાં વહેણામાં વગર વિચાર્યે ધસડાઈ જાય છે, તેમને વાસ્તે તે લખવું સવિશેષ પ્રાપ્ત થાય છે. ધ્રુવજી કૉલેજમાં ભણ્યા, કૅલેજમાં અને યુનિવર્સિટીમાં ઊંચા હાદ્દાઓ ઉપર રહ્યા. માત્ર અંગ્રેજ જ નહિ પણ ગવર અને વાયસરૉય જેવા ઊંચા અધિકારીઓને પણ મળવાના એમને અનેક પ્રસંગ આવ્યા. દેશદેશના વિદ્વાના પણ મળતા જ. ફૅટ-પાટલૂન અને ટાંપીના આ નખશીખ દેશી–પરદેશી વાતાવરણમાં તેએ આજન્મ રહ્યા, છતાં હું નથી ધારતો કે કાઈ એ તેમને પાતાનેા નક્કી કરેલ ગુજરાતી વેશ ખદલી ખીજા વેશમાં સજ્જ થયેલ જોયા હોય. જેમ પોષાકનું તેમનું પોતાનું જ લાક્ષણિક સૌવ હતું, તેમ તેમના ખાનપાન અને પૂજાવિધિને પણ એક ખાસ સંસ્કાર હતા. આ સંસ્કારા બીજા બ્રાહ્મણાની પેઠે એમણે અધપણે પાધ્યા ન હતા. કેમકે પાતાનાથી જુદી રીતે વર્તનારને તેઓ કદી પતિત કે ઊતરતી કાર્ટિના માનતા નહિ. ભાષાસૌવ વિશે તો એટલું જ કહેવું અસ થશે કે તેઓ જ્યારે વાતચીત કરતા હાય કે ભાષણ આપતા હોય ત્યારે અનુભવ એવા થાય કે જાણે કાનમાં અમૃતસિંચન થઈ રહ્યું છે. ગુજરાતી ભાષાસૌવના સંસ્કાર તે એમનામાં એટલી હદ સુધી વિકસેલે હતા કે કયારેક ગાંધીજીએ પણ કહેલુ કે હવે ધ્રુવજીનું મધુર-પ્રસન્ન ગુજરાતી ભાષણ તમે સાંભળેા. ધ્રુવની વાત કરવાની અને જવાબ આપવાની એક ખાસ ઢબ હતી. તે ખેાલે ત્યારે તેમાં બહુશ્રુતત્વ છલકાતું હોય, કડવામાં કડવા જવામ પણ તે એવી અન્યાક્તિ અને મધુર ભાષામાં આપે કે સાંભળનારને રાષને પ્રસંગ જ ન આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy