SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] દુન અને ચિ’તન અથવા બીજી રીતે મળતી જ આવી છે. દેશની મનેાભૂમિકા અને ખીજી પરિસ્થિતિ એવી છે કે દેશવ્યાપિ સક્રિય પગલું ભરવા સાથે જ એની ખરી તાલીમ શરૂ થાય છે. એટલે એક બાજુ પ્રત્યક્ષ ક્રિયા દ્વારા અને ખીજી માજી તેની સમજૂતી દ્વારા જ આખા દેશમાં અહિંસા વિશેની જાગરિત શ્રદ્ધા અને અપેક્ષિત અહિંસા સમજૂતી ઉત્પન્ન કરી શકાય—–પહેલું શાબ્દિક શિક્ષણ અને પછી ક્રિયા, એ ક્રમ આખા દેશ માટે વ્યવહારુ નથી. હું તે એમને સાદર સાંભળવા જ ગયે હતા. અમારા વિશેષ પરિચયના આ શ્રીગણેશ થયા. હું અમદાવાદ ગુજરાત પુરાતત્ત્વમંદિરમાં સન્મતિતકનું સંપાદન કરતા. એના પહેલા ભાગ ધ્રુવને મળ્યા ત્યારબાદ તે જ્યારે અમદાવાદ આવે ત્યારે મોટા ભાગે પુરાતત્ત્વમંદિરમાં આવે અને મળે. હું સ ંશોધન વિશે એમને પૂછ્યા પણ કરતા. એક વાર અનેક પ્રતા ફેલાવી હું મારા ખંડમાં કામ કરી રહ્યો હતો અને અણુધાર્યાં જ ધ્રુવજી પધાર્યાં અને ચટાઈ ઉપર એસી ગયા. થતું કામ જોઈ રહ્યા હતા. દરમિયાન એક અધ્યાપક ત્યાં આવી ચડ્યા. વાતચીત શરૂ થતાં જ એ આવનાર અધ્યાપકે નિખાલસ લેિ પણ રાષપૂર્વક ધ્રુવજીને તીખું તમતમતું સંભળાવ્યું. હું તે। મૂંઝવણમાં પડ્યો. એક તરફ આવા દિવ્ય અતિથિ અને ખીજી બાજુ સહવાસી અધ્યાપક. એ અધ્યાપક તેા ચાલ્યા ગયા, પણ પાછળથી મેં જોયું કે ધ્રુવજી એ કડવા ઘૂંટડા એટલી કુનેહથી પી ગયા અને પચાવી ગયા કે તેની અસર જ તેમની પાછળની વાતચીતમાં મેં ન જોઈ. મને લાગ્યું કે ધ્રુવમાં અહિંસાવૃત્તિ સ્થિરપદ છે. ચારેક ગુજરાતના એક જાણીતા કવિએ યદ્રાતદ્દા કહેલું કે લખેલું તેને જવાબ આપતાં તેમણે પેાતાની વ્યગવાણીમાં એવી મતલબનું લખેલું યાદ છે કે ધમ્મપદ'નું નિત્ય પરિશીલન કરવાથી પણ એમણે કહેલા શબ્દો ભુલાય તેવા નથી. આવા કાંઈક ઉપક્રમ સાથે જે જવાબ તેમણે લખેલા છે તે એમની માનસિક અહિંસાના સ્પષ્ટ પુરાવા છે. ૧૯૩૫ માં કાશીમાં જ તેમની સાથે મારે અમુક મુદ્દા નિમિત્તે પત્રવ્યવહાર કરવા પડ્યો. તેમાં કયારેક હું તેમના ઉપર પ્રે-વાઈસ-ચેન્સેલર તરીકે લખતા અને કચારેક વ્યક્તિગતરૂપે. એ પત્રવ્યવહારમાં મેં બહુ જ નમ્રભાવે પણ તદ્દન સ્પષ્ટ રીતે યુનિવર્સિટીના વ્યવહાર વિશે ટીકા કરતાં તેમને લખેલું કે ‘ આપ જેવા પણ અમુક ખાખતા નભાવ્યે જામે છે.’ તેમણે તે જ ક્ષણે જવાબ લખી પટાવાળા સાથે મારા ઉપર મોકલાવી દીધા. એમાં એમણે લખેલું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy