SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અ ૬૧. વૈયક્તિક મુલાકાતમાં કાંઈક રૂખાપણું છે. ' ઇત્યાદિ. આવી મતલબના એ લખાણે હું એમ માનતા થયા કે ત્યારે તે ધ્રુવજીને મળવા ઘેર ન જવું. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જતા આવતા અને રહેતા છતાં ધ્રુવજીને મળેલા નહિ. એમને વિશે એવા પૂર્વગ્રહ બંધાયા છતાં એમની વિદ્વત્તા પ્રત્યે તો ઉત્તરાત્તર મારા આદર વધ્યે જ જતા હતા, અને સાથે. સાથે તેમનાં લખાણોના વાચનનો પ્રચાર પણ કર્યે જતા હતા. કે " દરમિયાન ૧૯૨૦–૨૧ આસપાસ ફરી હું કાશીમાં આવ્યા, અને મારા ઉતારા પાસે જ આવેલ દિગંબર જૈન વિદ્યાલયમાં પ્રમુખસ્થાનેથી ધ્રુવનું ભાષણ થઈ રહ્યું છે એ જાણતાં જ તે સાંભળવા ગયા. ધ્રુવજી અહિંસા અને તપના મહત્ત્વ વિશે તેમની વિકસિત વિચારસરણીમાં પણ ગુજરાતી ટાન—લય—વાળી હિન્દીમાં ખેાણ્યે જતા હતા, અને પ્રસંગે • ઉત્તરાધ્યયન ’તેમ જ આચારાંગસૂત્ર 'ને। આધાર લેતા. તેમની મધુર વાણી અને સ્પષ્ટ વિચારસરણીથી હું વધારે આકર્ષાયા. સભા પૂરી થતાં જ તેમને હું મળ્યો. અને સાદર નમસ્કાર કરી મેં કહ્યું કે હું આજ લગી આપના પરાક્ષ શિષ્ય હતા. હવે પ્રત્યક્ષ શિષ્ય ખનીશ.' તેમણે સ્મિત સાથે કહ્યું, ‘ તમે ગુજરાતી છે ? અને બંગલે જરૂર આવજો.' એ જરૂર ’ શબ્દે મારામાં બધાયેલ તેમના વિશેના પૂર્વગ્રહને બહુ શિથિલ કરી નાખ્યા. જ્યારે હું તેમને ખંગલે ગયે ત્યારે તે એટલી સહહ્દયતાથી મળ્યા અને વાત કરી કે પેલા પૂર્વગ્રહના રહ્યોસવો અંશ પણ મારા મનમાંથી તદ્દન વિલીન થઈ ગયા. તેમણે અહિંસા વિશેની ચર્ચામાં તે વખતે મને કહ્યું કે · ગાંધીજી દેશમાં અહિંસાના પાયા ઉપર સરકાર સાથે બાથ ભીડવાના વિચાર કરે છે, પણ શું દેશમાં પ્રજાની અહિંસાવૃત્તિ એટલા બધા પ્રમાણમાં કેળવાઈ છે કે જેથી તે ગાંધીજીને પૂરા સાથ આપે?' તેમણે જ એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે હજી તે દેશને વધારે તાલીમ આપવાની જરૂર છે, હજી શિક્ષણ નવું છે. ' ઇત્યાદિ. * હું જ્ઞાનયેાગી ધ્રુવજીના કથનના ધ્વનિ એમ સમજ્યા હતા કે દેશવ્યાપી સક્રિય હિલચાલ કર્યો પહેલાં આધારભૂત સિદ્ધાંતની ખાખતમાં સમગ્ર દેશને તરેહતરેહથી શિક્ષણ આપવું જોઈએ. અને દેશને એ સિદ્ધાંત વિશે પ્રતીતિ થઈ છે એમ ખાતરી થાય ત્યારદ જ તેવી હિલચાલ પાયાદાર નીવડે. જ્યારે કયેાગી ગાંધીજીની તેમ તે વખતે અને આજ સમજું છું કે આ દેશને તો હજારો વર્ષ થયાં અહિંસાની તાલીમ પણ એ રીતે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy