________________
પ૪]
દર્શન અને ચિંતા વિચારાનું થાય તે તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણું જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એને ચેપ સાધારણ-શિક્ષિત અને અશિક્ષિત સુદ્ધાને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એક વાર ગમે તે સ્થાને ઉભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરાયોને ભેદી તે લોકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતિ કરું છું કે દરેક સમજદાર “સમૂળી ક્રાંતિ એક વાર તે વચ્ચે જ.
એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્ય સંસ્કૃતિ વિશે કાંઈક લખે તે ઠીક. મેં કહ્યું, “હું આર્ય સંસ્કૃતિનો એ વિશિષ્ટ અભ્યાસી તે નથી, અલબત્ત, એના એકાદ અંશને
સ્પર્શવાનો છેડો ઘણો પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચાર આવે છે, પણ પાછો સંકોચાઉં છું.' તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ?” આને ઉતર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં સેંધવાની તક લઉં છું. - “સંસ્કૃતિ વિશે લખવું એટલે શું ? અત્યારે જેઓ પિતાને આર્ય લેદભવ સમજે છે અને જે જે વસ્તુઓને તેઓ મહત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પિલી છે અને જેના ઉપર સંસ્કૃતિને ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે ? જે માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યને બીજે અપ્રિય અંશ કહેવાનો ન હોય તે એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાને એક પ્રયત્ન થશે એમ મને લાગે છે. - જે સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશે તે મારી દ્રષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓને ઈતિહાસ થશે,. જે કઈ કાળમાં અને કોઈ દેશમાં સંસ્કૃતિરૂપે હતું તે જ કાળાન્તરે, સ્થળાન્તરે અને સમયાન્તરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતે સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકૃતિઓથી જ પોષાતી રહી છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણ સંસ્કૃત નહીં પણ વિત બને છે, એવો વિચાર આવવાથી લખવાને ઉત્સાહ મોળો પડે છે. સંસ્કૃતિની યશગાથા ગાવાને નાદ સૌને એટલે બધો લાગ્યો છે કે પછી તે સાંભળનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org