________________
દર્શન અને ચિંતન મહેનત કરે તે પાકે. ભૂમિ જેના હાથમાં હશે તેને તે ભારરૂપ થશે, સિવાય કે તેને તે ઉપયોગ કરે! ભૂમિ એ નક્કર વસ્તુ છે. તેની સાથે સંપત્તિને, બુદ્ધિને ઉપયોગ હેય. બુદ્ધિ એટલે શું ? બુદ્ધિ એટલે સમજણ. તેને ઉપયોગ કરે તે જ કંઈક નિર્માણ થાય. દાનને અર્થ વિનોબાજીએ સ્પષ્ટ કર્યો છે. “દાન એટલે એક આપે અને બીજો લે એમ નહીં પણ સમાનપણે જીવવાને અધિકાર મેળવવો તે.”
દુનિયાના કોઈ દેશમાં કોઈને આ વિચાર સૂઝયો છે? ત્યાં તો હુંસાતુંસી ચાલે છે. સુએઝને પ્રશ્ન આવ્યું અને તરત જ યુદ્ધની તૈયારી થઈ અને ખંજર ખખડવા માંડ્યાં! દેશમાં જાગૃતિ
હિંદુસ્તાનમાં હવે ગરીબી અને અમારી સાથે સાથે નહીં ચાલી શકે. જેમ જેમ ગરીબ, આદિવાસીઓ, ભીલે વગેરે જાગતા જશે તેમ તેમ ક્રાંતિ ઝડપી બનશે. જ્યાં જ્યાં ગરીબી વધારે છે ત્યાં ત્યાં જાગૃતિ વધુ આવશે. તે જાગૃતિને યોગ્ય રસ્તે વાળવાને ભૂદાન એક માર્ગ છે. તેમાં ગરીબીની વહેંચણી નથી થતી, પણ બીજાના દુઃખના ભાગીદાર થવાનો. અવસર પ્રાપ્ત થાય છે. ગરીબ માણસમાં ઘણી વાર સાત્વિક મન હોય છે. તેના પર ભાર પડે છે, એ રીતે નહીં પણ સહજ રીતે ભૂદાનની આ વાત તેમને સમજાવવી જોઈએ. તેઓ બીજા ગરીબોની સ્થિતિ જાણે છે એટલે તેઓ સાચી રીતનું દાન આપે છે. ગાંધીજી કહેતા કે, “કોડપતિના દાન કરતાં ભારે મન ગરીબની કેડીનું દાન મોટું છે. રવિશંકર મહારાજ ઘણી વાર કહે છે, “જ્યારે ગરીબોનાં દાનની નદીઓ વહેશે ત્યારે પૈસાદારરૂપી ભેખડે તે આપોઆપ ફસાઈ પડશે.”
લેકનાં મનમાં વિચાર થઈ રહ્યો છે કે, આપણે દાન ક્યાં કરવું ? આપણે કહીશું કે માણસ જીવતા રહે ત્યાં! પાંજરાપોળ તે ઘણું છે પણ માણસળો ક્યાં? આનો અર્થ એમ નથી કે પશુપક્ષીઓ પર દયા ન રાખવી. આજે પ્રથમ માણસનો પ્રશ્ન સામે છે. પહેલાં યજ્ઞોમાં ઘી હોમાતા, આર્યસમાજીઓએ યજ્ઞોને બદલે હવનમાં ઘી હોમાવાં શરૂ કર્યા. આથી સ્વામી રામતીર્થે એક વાર કહેલું કે “યામાં ને હવનમાં ઘી હોમાય છે તેને બદલે માણસના જઠરમાં ઘી જાય તેમ કરવું જોઈએ.” ભૂમિદાન એ આજના પ્રશ્નોને લઈને ચાલતે દાનને યથાર્થ માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org