SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ વિભૂતિ વિનાબા [૫] પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જીવિત મુખ્ય પર પરામાં ભારતની બધી જ ત્યાગલક્ષી પરંપરાનેા સમાવેશ થઈ જાય છે. તૃષ્ણા, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે. ' પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઇચ્છતા ઋષિ યાજ્ઞવલ્કયની એક પત્ની મૈત્રેયીના જે ઉદ્ગારા બૃહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજક-પર પરાના વિચારના એક પડો માત્ર છે. યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે ‘તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એને નિકાલ કરવા ઇચ્છું છું.' મૈત્રેયીએ પતિને જવાખમાં કહ્યું કે ' સુવણૅ થી પરિપૂર્ણ પૃથ્વી મળે તો શું હું તેથી અમર થાઉં ખરી?' યાજ્ઞવલ્યે જવાબમાં જણાવ્યું છે કે એથી તો તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઈતર લેાકેાનું જીવન છે. સંપત્તિથી અમૃતત્વની આશા નકામી છે, ' ઇત્યાદિ. તથાગત મુદ્દે છ વર્ષની કાર સાધના અને ઊંડા મનન પછી પેાતાના તેમ જ જગતના કલ્યાણના માર્ગ શોધ્યેા તે ચાર આય–સત્યને. તેમાં બીજું આ સત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણા કે મમતા છે તે; અને ચોથું આ સત્ય એટલે તૃષ્ણાનું--આસક્તિનું નિર્વાણુ તે. દી તપસ્વી મહાવીરે આત્મૌપમ્ય પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે ખાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિહ કે સંચયવૃત્તિ હોય કે તે જેટલા પ્રમાણમાં હાય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ ચઈ ન જ શકે. આમ આપણે ત્રણે ય પરપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિને ત્યાગ ઉપનિષદમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એને ય એ હરગિજ નથી કે પાર્થિવ સમ્પત્તિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy