________________
બન્ને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ
[૪] ગાંધીજી ‘મહાત્મા’ લેખાયા. કારણ તેમનું જીવન મહત હતું. જેનું જીવન જ મહત્વ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ઠેઠ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને બીજાનું ભલું કરવાની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિ જ અખંડપણે તેમ જ ઉત્તરોત્તર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લેકમાં શોક વ્યાપેલો, પણ એ શેક મેટે ભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમ જ ગૃહસ્થવર્ગ પૂરતો હતો એમ કહી શકાય. મહાવીરના નિર્વાણ વખતે વ્યાપેલ શેક પણ એ જ કોટિનો હતો. અલબત્ત, તે વખતે અત્યારના જેવા સમાચાર ફેલાવવાનાં સાધનો ન હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શકતું નથી. પણ એમનું અંતર અને બાહ્યજીવન એવું વિશ્વવ્યાપી બની ગયેલું કે તે સ્થળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમને સંદેશ એકધારે પહોંચી જતે અને ભણેલ કે અભણ, આ ધર્મના કે તે ધર્મના, આ કામના કે તે કામના, આ દેશના કે તે દેશના દરેક માનવી ગાંધીજી વિષે એટલું તે માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે. સૌને એકસરખે વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ બેલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ઠા કેવળ ઉપરના કારણે જ હતી. તેઓ સૌના હૃદયના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના જીવનને મહત કહીએ છીએ.
ગશાસ્ત્રમાં કહ્યું છે કે ચિત્ત રૂપ નદીને પ્રવાહ બન્ને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. ગશાસ્ત્રના આ કથનને પુરાવો આપણા દરેકનો રેજિદે અનુભવ છે. ગાંધીજી આપણું જ જેવા અને આપણું મહિલા સાધારણ માનવી, પણ એમના ચિત્તને પ્રવાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org