________________
અર્થ
[૧૯
અને તે એ કે જૈનપરંપરાના એક માત્ર નિવૃત્તિ પ્રધાન સંસ્કારને બદલી તે અહિંસાની એવી વ્યાખ્યા કરે, સર્વ વિકસાવે કે જેથી તેમાં ગમે તેટલું સમાજલક્ષી અને વ્યાવહારિક પરિવર્તન છતાં અહિંસાનો મૂળ આત્મા જે વાસનાઓનો ત્યાગ અને સગુણને વિકાસ તે સુરક્ષિત રહી શકે. ગાંધીજીને ધર્મ નવીન છે
જે કોઈ પણ સાધક માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં નિત્યનવા ઊભા થતા કોયડાઓનો ઉકેલ ધાર્મિક દૃષ્ટિથી કરવા ઈચ્છે છે તે સહેલાઈથી ગાંધીજીના જીવનધર્મની દિશા જાણી શકે. તેથી જ હું માનું છું, કે ગાંધીજીનો જીવનધર્મ જીવંત અને નવીન છે. નવીન એટલે તે જૂના ઉપર અભૂતપૂર્વ મહેલ છે. એ જ કાગળ, એ જ પીંછી અને એ જ રંગ છતાં તે અદષ્ટપૂર્વ ચિત્ર છે. સારેગમનાં એ જ સ્વરેનું અભૂતપૂર્વ સંગીત છે. અંગે કે અવયવ એ જ છતાં એ અપૂર્વ તાંડવ અને અલૌકિક નૃત્ય છે; કારણ કે ગાંધીજીની દૃષ્ટિમાં આ લેક અને પરલોક વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે. તેમને મનુષ્ય જીવનરૂપ કે બળતી મિથિલાની અંદર જ રહી તેની આગ શિમાવવાના પ્રયત્નમાં જ પારલૌકિક નરકયંત્રણ નિવારવાનો સંતોષ છે, અને માનવજીવનમાં જ સ્વર્ગ કે મોક્ષની શક્યતા સિદ્ધ કરવાની તાલાવેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org