________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧ર૧
આ બંને પ્રકારના ગુણોને પારખી, સમજી તે બાબતમાં પિતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કેનામાં કયા કયા ગુણ ઓછાવત્તા છે.
પ્રતિવાદીના પ્રકારે –પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પિતાનાથી શ્રેષ્ઠ ) (૨) પ્રત્યવર (પિતાથી કનિષ્ઠ) (૩) સમ (પિતાની બરાબરનો). આ ત્રણ પ્રકારે ઉપર્યુક્ત ગુણોની દષ્ટિએ સમજવા નહિ કે ઉમર, વૈભવ આદિ સર્જાશે.
પરિષદના પ્રકારે –સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારે મુખ્ય છે. અને એ બેના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકાર છે.
જલ્પને યોગ્ય અને અયોગ્ય પરિષદા–જ્ઞાનશક્તિ સંપન્ન હેય કે મૂઢ હોય, કોઈ પણ જાતની શત્રુસભા જલ્પને અયોગ્ય છે. મિત્રસભા કે ઉદાસનસભા જે મૂઢ હોય તે તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જલ્પ કરવાને એગ્ય જ છે.
વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્ય –કઠણ અને લાંબા લાંબાં ન સમજાય તેવાં વાક્યો બેલવાં અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીને ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું અને પ્રતિવાદી બોલવા લાગે તે એને અવકાશ જ ન આપ; કિલષ્ટ શબ્દો બોલતાં બેલતાં સામાને એમ પણ કહેવું કે “તું તે ઉત્તર જ નથી આપતો” અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી' પ્રતિવાદી જે ફરી વાર માટે આહ્વાન કરે તે તેને કહેવું કે
અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુરુસેવા કર,’ એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એકવાર હાર્યો તે હંમેશને માટે હા એમ વિદ્વાન કહે છે; એ હારેલ પ્રતિવાદીનો ફરી સંબંધ પણ ન કરો. આ બતાવેલ રીતે જ૫ પિતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરે એમ કેટલાક વિદ્વાને કહે છે; જ્યારે બીજા વિદ્વાને તેથી ઊલટું કહે છે. તેઓ કહે છે કે પિતાથી કનિષ્ઠ કે પિતાના સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જલ્પ કરે ઘટે છે. આ જલ્પ કરતી વખતે પિતાનું અને પ્રતિવાદીનું બલબલ જોઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાત હોય તે બાબતની પિતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ, તેમાં જલ્પ ન કરે; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હેય, તે જ બાબતમાં તેને જલ્પદ્વારા શીઘ હરાવ.
દુલને જલદી પરાજિત કરવાના ઉપા –જેને શાસ્ત્રપાઠ યાદ ન હેય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાનો હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org