SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૫ કે ક્યાંક પાંચ અવયવરૂપ અને ક્યાંક દશ અવયવરૂપ ન્યાયવાક્યને પ્રગ કરાય છે. આમાંના પાંચ અવયે તે ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે. નિર્યુક્તિકારે એ પાંચ અવયવોને ઉપયોગ કરી ધર્મની સૂક્ત મંગળમયતા સિદ્ધ કરી બતાવી છે. ત્યાર બાદ તેઓએ દશ અવયવથી ઘટિત ન્યાયવાક્યને પ્રવેગ પણ કરી બતાવ્યો છે, અને તે દશ અવયે બે રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દષ્ટાંત, દષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ –એ એક પ્રકાર. બીજા પ્રકારમાં દશ અવયે આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દષ્ટાંત, આશંકા, ત~તિષેધ, અને નિગમન. આ બંને પ્રકારના ન્યાયનો પ્રવેગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયે કોઈ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામે પ્રગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અવયવો એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયોગમાં તેઓને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપદે નિગમનું પ્રશાત પ્રતિજ્ઞાા પુનર્વસન નિગમને (૧-૧-૩૯) એવું જે લક્ષણ કર્યું છે એ જનિયુંક્તિમાં ડાક ફેરફાર સાથે આ પ્રમાણે દેખાય છે : રમો gણ અવયવો, વરૂન્ન% gોયf I (ગાથા. ૧૪૪ પૃ. ૭૯). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ઘણો મમુટું એ સૂત્રથી ધર્મની મંગળમયતા અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિર્યુક્તિકારે ન્યાયવાક્યનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાક્ય જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મંગળમયતા આદિ વ્યવસ્થિત રીતે સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ મુખ્યભાગે ન્યાયવાક્ય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયેલી છે, જેના ઉપરથી ૧. જુઓ, ગાથા ૫૦ ૨. પાંચ અવયવોના નામના સંબંધમાં પણ બે પરંપરા દેખાય છે? એક તે ન્યાયસૂત્રની અને બીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠરવૃત્તિમાં મતાન્તર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે-અવયવાર પુન: પ્રતિજ્ઞાાનિસનાનુધાપ્રત્યાનાથઃ ”! પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સં. સી. ની આવૃત્તિ તથા ભાદરવૃત્તિ. પૃ. ૧૨. ૩. જુઓ, ગાથા ૮૯ થી ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy