________________
૧ર૮]
દર્શન અને ચિંતન (૧૬) વાદીને પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં
આવ્યું હોય છતાં ઉત્તર ન મ્હરે તે પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા
નિગ્રહસ્થાન. (૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશક્ય જણાવાથી કઈ પણ
બહાનું કાઢી ચર્ચાનો ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે”
ઈત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન. (૧૮) કાઈ કહે તું કઈ નામીચા) પ્રસિદ્ધ ચોરની જેમ “પુરુષ”
હોવાથી ચોર છે (કારણ પિલો ચોર પણ “પુરુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હોવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પિતાની ઉપર મૂકેલે ચોરનો આરોપ સ્વીકારાઈ
જાય છે. તેથી તે મતાનુજ્ઞા નિગ્રહસ્થાન કહેવાય છે. (૧૯) પિતાની સામે બેલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો હોય છતાં વાદી
તેની ઉપેક્ષા કરે એટલે કે “તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો છે” તેવું ઉદ્દભાવન ન કરે તે તે પર્યાનુયોપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભા કરે છે. કારણ કે કઈ પિતાની મેળે તો પોતાની હાર કબૂલી પિતાની ઈજજતને
લગેટ ખુલ્લે કરવા તૈયાર ન જ હોય. (૨) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દુષિત કરે
તે નિરજ્યાનુગ નામનું નિગ્રહસ્થાન. (૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ
ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે પૂર્વમીમાંસાને સિદ્ધાંત સ્વીકારી કઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજે કોઈ પૂછે કે અગ્નિહોત્ર તે ક્રિયાત્મક હોવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેને ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્રદ્વારા પ્રસન્ન થએલ મહેશ્વર સ્વર્ગ આપે છે. આ ઉત્તર મીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આ ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જ હોવાથી અપસિદ્ધાંત
નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસે પણ નિગ્રહસ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org