________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧રર૩ ડાબા અને જમણ બને સમકાલીન શિગડાઓની પેઠે કેઈ કોઈનું સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તો બંને સમાન જ હોવા જોઈએ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અઘટિત છે.
આ રીતે ત્રણે કાળની અનુપતિ ધારી હેતુને દૂષિત કરે તે હેતુસમ(૧૭) જે ઘટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધર્મથી શબ્દને અનિત્ય
સિદ્ધ કરવામાં આવે તે અર્થપત્તિથી એમ પ્રાપ્ત થાય છે કે નિત્ય વસ્તુના સાધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૂર્ત સ્વરૂપ સાધમ્મ શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય
કાં સિદ્ધ ન થાય? એ રીતે અર્થોપત્તિદ્વારા દૂષણ આપવું તે અર્થપત્તિસમ. ( ૧૮ ) જે કૃતકત્વ એ ધર્મ શબ્દ અને ધટને સમાન (એક) માનવામાં
આવે તે તે ધર્મ દ્વારા શબ્દ અને વટ એ બંનેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કોઈ પણ સમાનધર્મ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિશેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદ્ધ કરી દૂષણ આપવું
તે અવિશેષસમ. (૧૯) જે કૃતકત્વને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તે અમૂર્તત્વને
લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે? આ રીતે બંને ધર્મની ઉપપત્તિ હેવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકાર છે એ નિશ્ચય નહિ થઈ
શકે એમ દૂષણ આપવું તે ઉપપત્તિસમ. (૨૦) કેઈએમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નોનસ્તરીયક
(એટલે પ્રયત્નની પછી જ થનાર) છે તે તેને એમ કહેવું કે સાધન તો તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુઓ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે, અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેને શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતો દેખાય છે, એટલે પ્રયત્નાનન્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે? આ પ્રમાણે ઉપલબ્ધિ દ્વારા
દૂષણ આપવું તે ઉપલબ્ધિસમ. (૨૧) પૂર્વે જ પ્રયોગમાં એમ કહેવું કે શબ્દ પ્રયત્નાનન્તરીયક હોવા છતાં
અનિત્ય (જન્ય) તે નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હેવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણનો જ ભંગ થાય છે. તેનાથી કંઈ શબ્દ ઉત્પન્ન થતો નથી. શબ્દ તે પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org