________________
|[ ૧૨૨૧
કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન (૩) કઈ વાદી ઘટને દષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધમ્મથી શબ્દને અનિત્ય
સિદ્ધ કરતે હેય ત્યારે કહેવું કે જે કૃતકત્વ સાધમ્પથી ઘટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતો હોય તે ઘટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ધ થાય અને જે શબ્દને મૂર્ત ન માનો તે અનિય પણ ન માને. આ
રીતે ઉત્કર્ષદ્વારા દૂષણ આપવું તે ઉત્કર્ષ મ. (૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવું કે જે કૃતકત્વ સાધચ્ચેથી ઘટની જેમ
શબ્દને અનિત્ય સિદ્ધ કરે છે તે જ સાધર્મથી શબ્દ ઘટની જેમ અશ્રાવણ (શ્રવણેદિયથી અગ્રાહ્ય ) પણ સિદ્ધ થાય. અને જે શબ્દને અશ્રાવણ ન માને તે પછી ઘટદષ્ટાંતથી તેને અનિત્ય પણું ન માને;
આ રીતે અપકર્ષ દ્વારા દૂષણ આપવું તે અપકર્ષ મ. (૫-૬) વર્ષ એટલે વર્ણન કરવા ય સાધ્ય ધર્મ અને વિષ્ણુ એટલે
વર્ણન કરવાને અયોગ્ય દષ્ટાંતધર્મ. આ બંને વચ્ચું અને અવશ્ય એવા સાધ્ય તથા દષ્ટાંતધર્મોને વિપર્યાસ કરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે વર્યસમ અને અવર્ણસમ જાતિ. આ બંનેનું ઉદાહરણઃ-જેમકે કઈ ઘટદષ્ટાંતથી કૃતકત્વ હેતુકારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે શબ્દમાં જેવું કૃતકત્વ છે તેવું કૃતકત ઘટમાં નથી. અને ઘટમાં જેવું છે તેવું શબ્દમાં નથી. પક્ષ અને દાંતના ધર્મો તો સમાન જોઈએ. અહીં તે શબદ કરતાં ઘટનું કૃતકત જુદું છે. કારણ કે ઘટ કુંભકાર વગેરે કારણોથી બને છે. અને શબ્દ કંઠ, તાળુ આદિન વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વર્ણ
સમ અને અવર્ણસમ બંને જાતિ સાથે આવી જાય છે. (૭) કેઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હેય છે તો કોઈ પથ્થર વગેરે કૃતક
વસ્તુ કઠિન હોય છે. આ રીતે જે કૃતક વસ્તુ બે પ્રકારની મળે છે . તે પછી કોઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ
નિત્ય એમ પણ હેય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ. (૮) જે ઘટ તેવો શબ્દ છે એમ કહેતા હે તે જેવો શબ્દ તે ધટ
એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તે શબ્દ સાધ્ય હોઈ વટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્યનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દૃષ્ટાંત તે સિદ્ધ જ હોવું જોઈએ. જે દષ્ટાંતને સિદ્ધ માનો તે શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દૃષ્ટાંત ન થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org