SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૨ ] દર્શન અને ચિંતન વળી ક્યારેક શ્રાવસ્તી નગરીમાં ભગવાન અને ગોશાલક બને આવી ચડ્યા. ગોશાલક હાલાહલા નામની કુંભારણને ત્યાં ઊતર્યો હતો. તેની અરિહંત' તરીકેની ખ્યાતિથી અંજાઈ ભોળા લે કે તેની પાસે આવતા. ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમે ગામમાં ગોશાલકની સર્વજ્ઞ તરીકેની ખ્યાતિ સાંભળી પિતાના ગુરુ વિર ભગવાનને એ બાબત પૂછયું : ભગવાને કહ્યું. “તે સર્વ નથી–મેં જ તેને દીક્ષા આપી છે. એ અસર્વજ્ઞ છતાં છળથી પિતાને સર્વસ અને જિન કહે છે.” ભગવાનની આ વાત શહેરમાં ચોમેર પ્રસરતાં ગોશાલકને કાને પણ આવી તેથી તે બહુ ગુસ્સે થયા. દરમ્યાન ભગવાનને આનંદ નામને એક શિષ્ય તેની નજરે પડ્યો. તેને ગોશાલકે કહ્યું, “આનન્દ! તારે ગુરુ મારી નિન્દા કરે છે. તે મારી શક્તિ જાણ નથી. હું તેને સપરિવાર બાળી નાંખીશ. માત્ર તને જીવતો છેડીશ. તે ઉપર એક દષ્ટાંત કહું તે સાંભળ કોઈ પાંચ વાણિયાઓ વ્યાપાર માટે પરદેશ જતાં નિર્જળ વનમાં તરસ્યા થયા. પાણી શોધતાં એક પાંચ શિખરવાળે રાફડો મળ્યો. તે ફેડતાં અનુક્રમે તેમાંથી પાણી, તાંબાનાણું, રૂપાનાણું, સેનાના એ ચાર વસ્તુઓ ચાર શિખરમાંથી નીકળી. પણ લેભવશ પાંચમું શિખર ફડતાં ઉગ્ર સર્પ નીકળ્યો. તેણે એ પાંચ વણિકમાંથી સંતેષી પ્રથમ વણિકને જીવતે છોડી બાકીના ચાર લેભીને વિષજવાળાથી ભસ્મ કરી નાંખ્યા. હે આનન્દ! તે પ્રમાણે માત્ર તને જીવતે છેડી તારા ગુરુને સપરિવાર હું બાળી નાંખીશ. આનંદે આવી આ વાત ભગવાનને જણાવી. ભગવાને તેની શક્તિ વિષે સૌ મુનિને સચેત કરી મૌન રહેવા કહ્યું. દરમ્યાન ગેપાલક ત્યાં આવી ચડ્યો અને ભગવાનને યા તદ્દા કહેવા લાગ્યો. તેણે કહ્યું “હે કાશ્યપ ! તું મને મખલિપુત્ર અને પિતાના શિષ્ય તરીકે વર્ણવે છે પણ હું તે નથી; તારે શિષ્ય ગોશાલક સ્વર્ગવાસી થયો છે. હું તો માત્ર તે મૃત ગોશાલકના દઢ શરીરમાં વાસ કરું છું અને મારું નામ તો ઉદાયમુનિ છે.” ભગવાને કહ્યું : “ગોશાલક! તણખલાથી ડુંગર ઢંકાય નહિ તેમ તું મારી સામે પિતાની જાતને અસત્યથી છુપાવી નહિ શકે. તું જ ખરેખર મંખલિપુત્ર ગોશાલક છે.” આ વિવાદ ચાલતો હતો તેવામાં ભગવાનના બે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામક શિષ્યો ગે શાલકને સમજાવવા વચ્ચે આવ્યા એટલે ગોશાલકે તેઓને તેલેસ્યાથી બાળી નાખ્યા. ભગવાન ઉપર તેજલેશ્યા મૂકી પણ તે તેઓને કશું કરી ન શકી. ઊલટી પાછી ફરી ગશાલકને બાળવા લાગી. "ભગવાને ગોશાલકને કહ્યું, “તું તે ફક્ત સાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy