SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ "૧૧૮૦ ] દર્શન અને ચિંતન ૨–બૌદ્ધદર્શન, એ સાંખ્યદર્શનની પેઠે માત્ર સ્વલ્પસાહિત્યમાં જ જીવિત નથી પણ એના સાહિત્યની અને અનુયાયીઓની પરમ્પરા જેમ અખંડ છે તેમ વિશાળ પણ છે. એ દર્શનના પ્રસ્થાપક ગૌતમબુદ્ધ કપિલવસ્તુના વાસ્તવ્ય શુદ્ધોદનના પુત્રરૂપે ઈ. સ. પહેલાં છઠ્ઠા સૈકામાં થયેલા. તેમણે ઘર છોડી ત્યાગ સ્વીકાર્યો અને જુદા જુદા ગુરુઓની ઉપાસના કરી. અને છેવટે તે ગુરુએને છોડી સ્વતંત્રપણે જ વિચાર કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં કરેલી તપસ્યા અને ગુરુ ઉપાસનાનું વર્ણન મળે છે.૧૫ તેઓ આળારકોલામ અને ઉદકરામપુર એ બેની પાસે જઈ યોગમાર્ગ શીખ્યા એવું વર્ણન છે. અને તે વખતે પ્રચલિત અનેકવિધ તપસ્યાઓ કર્યાનું વર્ણન તે તેઓએ પિતે જ આપ્યું છે. એમાં તેઓએ પોતે જૈન પરમ્પરામાં દીક્ષા લેવાનું કોઈ પણ સ્થળે સ્પષ્ટ કહ્યું નથી. અલબત્ત, તેમણે વર્ણવેલ પોતાના તપસ્યા અને આચારના અનુભવમાં કેટલીક તપસ્યા અને કેટલોક આચાર જેને હેય એમ લાગે છે. બુદ્ધ ભગવાન પિતે તે જેને પરમ્પરામાં દીક્ષિત થયાનું નથી કહેતા પણ તેમના પછી લગભગ પંદર વર્ષ બાદ લખાયેલ એક જૈન સામ્પ્રદાયિક ગ્રન્થમાં ગૌતમબુદ્ધનું જૈનેના ત્રેિવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની પરમ્પરામાં દીક્ષિત થયાનું અલ્પ માત્ર વર્ણન છે. એ વર્ણનમાં પ્રત્યકાર ગૌતમ બુદ્ધને જૈન દીક્ષા છોડી નવીન મતના પ્રવર્તાવનાર તરીકે સામ્પ્રદાયિક કટાક્ષની ભાવનાથી ઓળખાવે છે. જેન આચાર્યોની પેઠે વૈદિક વિદ્વાનોએ પણ તથાગત ગૌતમબુદ્ધને તેમના વૈદિક પરમ્પરા સામેના ક્રાન્તિકારી વિચારેને લીધે નાસ્તિક તરીકે વર્ણવ્યા છે.૧૮ તેમ છતાં જેમ જૈન આચાર્યોએ પિતાના સર્વસંગ્રાહક નયવાદમાં ગૌતમબુદ્ધના ક્ષણિક વાદને એક નયરૂપે સમાવેશ કરી તે દર્શનનો સમન્વય ૧૯ કર્યો છે, . ૧૫. આ માટે જુઓ, પુરાતત્વ, પુસ્તક બીજું, પુ. ૨૪૯-૨૫૭. બુદ્ધચરિત્ર લેખમાળા. ૧૬. આ માટે સરખા મઝિમનિકાયના મહસિંહનાદસૂત્રના પેરેગ્રાફ -૨૧ સાથે દશવૈકાલિકનું ત્રીજું તથા પાંચમું અધ્યયન. ૧૭. જુઓ, પરિશિષ્ટ, નં. ૨. ૧૮. જુઓ, આ લેખમાળાને પહેલો લેખ. પુરાતત્વ પુસ્તક ચોથું, પરિશિષ્ટ ૧ તથા ૩. १८ "ज काविलं दरिसणं एवं दबहिअस्त वत्तव्वं । સુકોમuતચર ૩ gિો પારણિ ” : –સંમતિત મૂળ, તૃતીયકાંડ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy