SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન કઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતા. તત્વજ્ઞાન શ્રીમનું પિતાનું જ કહી શકાય એવું કાંઈ પણ તત્વજ્ઞાન તેમનાં લખાણમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્વજ્ઞાનના સંસ્કારે હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રિત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈનતત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મેક્ષ, તેના ઉપાયે, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપ, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, ત્ય ( એટલે કે વિચારણનાં દૃષ્ટિબિન્દુઓ), અનેકાંત (સ્વાદાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દષ્ટિ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું એકત્ર કે અનેકત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે; કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દૃષ્ટિ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પર ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલંબીને અને જૈન દષ્ટિનું પિષણ થાય એ રીતે જ ઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલો અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કોઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનને સંસ્કાર એટલે સુધી પોષાયેલો છે કે તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્વજ્ઞાનોને પોતાની સમજ મુજબ નિખાલસપણે “અધૂરાં” દર્શાવે છે. એમનાં લખાણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે એમણે વેદાનગામી કેટલાંક દર્શને સંબંધી પુસ્તકો વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દર્શનેનાં મૂળ પુસ્તકો વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું છે, તેથી બહુ જ ઓછું બીજં બધાં દર્શનનું મળી એમણે વાંચ્યું-વિચાર્યું છે. સ્વતંત્ર એતિહાસિક દષ્ટિએ નહિ, પણ મુખ્યપણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને બીજાં ભારતીય દર્શનને સંબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તેઓ એક સ્થળે જૈનેતર દર્શનેને હિંસા અને રાગદેષનાં પિષક કહે છે. જે તેમને બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy