________________
૧૧૪૦ ]
દર્શન અને ચિંતન
ગુસ્સું એ કથન સાંભળી બધા દાનવા સંસારથી વિરક્ત થઈ કહેવા લાગ્યા, હે ગુરુ ! અમને દીક્ષા આપે. એ રીતે જ્યારે છન્ત ( કપટરૂપધારી ) ગુરુને દૈત્યાએ કહ્યું ત્યારે તે વિચારમાં પડ્યો કે આ દૈત્યોને મારે કેવી રીતે પાપી અને નરકગામી કરવા ? તેમ જ શ્રુતિબાહ્ય અને લેકમાં ઉપહાસાસ્પદ કેવી. રીતે કરવા ? એમ વિચારી બૃહસ્પતિએ કેશવને સ્મર્યાં. એ સ્મરણુ જાણી વિષ્ણુએ મહામેાહ ઉત્પન્ન કરી બૃહસ્પતિને આપ્યો અને આ પ્રમાણે કર્યું. આ મહામેાહ તમારી સાથે મળી બધા દૈત્યાને વેદમા બહિષ્કૃત કરી માહિત. કરશે. એમ કહીને વિષ્ણુ અંતર્ધાન થયા. એટલે માયામાહ દૈત્યો પાસે આવી બૃહસ્પતિને કહેવા લાગ્યા.
મહામાહ—હે શુક્ર ! હમણાં અહીં આવે, હું તમારી ભક્તિથી આકર્ષિત થઈ અનુગ્રહાથ અહીં આવ્યો છું. ત્યાર બાદ માયામાહ દિગમ્બર, મુણ્ડી, મયૂરપિચ્છધારી થઈ ને ફ્રી નીચે પ્રમાણે એશ્યો. દિગમ્બર—હૈ દૈત્ય રાજા, તમે તપ કરી છે. પણ કહા કે એ તપ ઐહિક ફળ માટે કે પારલૌકિક ફળ માટે કરે છે? દૈત્યે અમે પારલૌકિક લાભ માટે તપ આધ્યુ છે. તે બાબત તમે શું કહેવા માગો છો ?
દાનવ—હું પ્રભા ! અમે તારા તત્ત્વમાર્ગમાં દાખલ થયા છીએ. જો તું પ્રસન્ન હોય તે। અનુગ્રહ કર. અમે દીક્ષાયેાગ્ય બધી સામગ્રી લાવીએ કે જેથી તારી કૃપાથી મેાક્ષ જલદી હસ્તગત થાય. ત્યાર બાદ માયામાહે બધા દૈત્યોને કહ્યું. રક્તાંબર—આ શ્રેષ્ઠધિ ગુરુ ( શુક્રરૂપ ધારી બૃહસ્પતિ ) મારી આજ્ઞાથી તમને બધાને મારા શાસનમાં દીક્ષિત કરશે. હું બ્રહ્મન ! આ અધા મારા પુત્રાને દીક્ષા આપ. એમ કહી માયામાહ ઈષ્ટ સ્થાને ચાલ્યો ગયા. તે ગયા ખાદ દૈત્યોએ ભાગવ(શુક્ર)ને કહ્યું—હું મહાભાગ ! :અમને સંસારમેાચની દીક્ષા આપ. શુક્ર તથાસ્તુ એમ કહી નમદા તટે જઈ બધા દૈત્યાને દિગબર કર્યો; તેને મયૂરપિચ્છને ધ્વજ, ચણાડીની માળા આપીને શિરેશલુંચન ( કેશલેાચન ) કર્યું" અને શુક્રે કહ્યું કે “ધનના ઈશ્વર ધનદદેવ કેશલુંચન અને વેષધારણથી પરમ સિદ્ધિ પામ્યા. એ જ રીતે મુનિત્વ પ્રાપ્ત થાય છે, એવું અહંતા કહી ગયા છે. કેશાપાટન વડે માણસા દેવત્વને પામે છે તે પછી તમે કુશાત્યાટન કેમ નથી કરતા ?
,,,
દેવાના પણ મનુષ્ય લાક વિષે મનેરથા એવા છે કે આ ભારવવમાં શ્રાવક કુળમાં કથારે જન્મ થશે ? અને કોપાટનપૂર્વક તાયુક્ત આત્મા ભારે થશે ? ચોવીસ તીર્થંકર વગેરે કયારે પ્રાપ્ત થશે? તેમ જ કયારે ઋષિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org