SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૬] દર્શન અને ચિંતન મુંડીની માયામાં ફસા અને કહ્યું કે મને દીક્ષા આપે. એ સાંભળી મુંડીએ કહ્યું, હે રાજન ! તારી પાસે જે માગું છું તે કબૂલ કર, અને તે એ કે મારું વચન તારે અન્યથા ન કરવું. રાજા મુંડીના પાશમાં સપડાયે અને કબૂલ કર્યું. એટલે મુંડીએ વિદ્યુમ્ભાલીને બેલાવીને કહ્યું કે હે રાજન, તું મારી પાસે આવે અને આ મંત્ર સાંભળ. એમ કહી મોઢેથી વસ્ત્ર હઠાવી પિતાનું એવું તત્વ રાજાને સંભળાવ્યું કે જેનાથી તેના ધર્મને નાશ થાય. મુંડીએ રાજાને દીક્ષા લેવા કહ્યું કે તુરત જ તેણે અને અનુક્રમે બધા ત્રિપુરવાસીઓએ મુંડી પાસે દીક્ષા લીધી. અને એ મુનિના શિષ્ય-પ્રશિષ્યોથી બધું ત્રિપુર વ્યાપી ગયું, - વિષ્ણુની આજ્ઞાથી માયામહે સ્ત્રી ધર્મનું અને શ્રાદ્ધધર્મોનું ખંડન કર્યું, શિવપૂજા તેમ જ વિષ્ણુને યજ્ઞભાગને ખંડિત કર્યા; સ્નાન, દાન, તીર્થ આદિ સર્વે વેદધર્મો તેણે દૂર કર્યા. ત્રિપુરમાં અલક્ષ્મી (પડતી) આવી. અને બ્રહ્માની કૃપાથી જે લક્ષ્મી થઈ હતી તે ચાલી ગઈ. નારદે વિષ્ણુની માયાથી દૈત્યને બુદ્ધિવ્યામોહ પમાડ્યો. જેવો એ માયામોહ પુરૂ તે જ નારદ એથી શ્રૌતસ્મા ધર્મો નાશ પામ્યા એટલે વિષ્ણુએ પાખંડધર્મ સ્થાપે. માં શિવને ત્યાગ થશે, લિંગપૂજ ગઈ ધર્મ નાશ પામે, દુરાચાર સ્થિર થયો. એટલે વિષ્ણુ પિતાને કૃતકૃત્ય માનતા, દેવોને સાથે લઈ શિવ પાસે ગયા, અને તેઓની સ્તુતિ કરી. દેવોએ પણ સ્તુતિ કરી અને કહ્યું કે વિષ્ણુની માયાથી દૈત્યો મેહ પામ્યા છે. હે શિવ ! હવે તેઓને નાશ કરે, અને અમારી રક્ષા કરે. શિવે કહ્યું, કે મેં દેવકાર્ય તથા વિષ્ણુનું અને નારદનું મહાબળ જાણી લીધું છે. હું દૈત્યોને નાશ કરીશ. અનુક્રમે શિવે તે ત્રિપુરને બાળી નાંખ્યું. એમાં જે દે ની પૂજા કરતા હતા તેઓ ગણપતિ થયા. છેવટે પેલા મુંડીઓ આવ્યા, અને બ્રહ્મા, વિષ્ણુ આદિ. દેવોને નમન કરી બેલા અમે શું કરીએ ? ઉત્તરમાં તેઓએ કહ્યું જાવ, તમે કલયુગ પૂરો થાય ત્યાં સુધી મરુદેશમાં રહો. મુંડીઓ તેઓના આદેશ પ્રમાણે મરુદેશમાં ગયા. અને બીજા દેવો પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા. (બંગાળી આવૃત્તિ. જ્ઞાનસંહિતા. અ. ૧૯-૨૦-૨૧-૨૨.). પદ્મપુરાણ અંગ નામે તપસ્વી શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તે યમપુત્રી સુનીયાને પરણે. તેણીને બ્રાહ્મણથી એક પુત્ર થયે, જેનું નામ વેન રાખ્યું. વેન ધાર્મિક અને ધી હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy