________________
શ્રીમદ્રાજચંદ્ર” –એક સમાચના
[ હ૬૫. જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી, અને તે વર્ગ પિતે જ “શ્રીમદ્રાજચંદ્ર પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગે છે. આ વર્ગમાં માત્ર કુળજેને જ નથી આવતા, એમાં ખાસ જૈનેતર ભાગ છે, અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષા પ્રાપ્ત છે.
મારી પિતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહીં કાશીમાં ભણત, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન સુશીલ શ્રીમદનાં લખાણે (કદાચ “શ્રીમદ્રાજચંદ્ર” જ) મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા. અને અત્યારે પણ જીવિત–એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ–મુનિ અચાનક પધાર્યા, અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્વમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમદની જયંતી પ્રસંગે કાંઈક બેલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક “શ્રીમદ્રાજચંદ્ર પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું, એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કારે ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દર્શનોને એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાનઅંધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં ઓસરી જાય છે, તે અનુભવ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૩ર સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે બેલ વાને અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાને સમય જ ન મળે, અગર મેં ન મેળવ્યું. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મેકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણો કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં “શ્રીમદ્રાજચંદ્ર કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટૂંકી ને કરતો ગયો. એ વિશે બહુ લાંબું લખવાની શક્યતા છતાં જોઈ તે અવકાશ નથી; તેય પ્રસ્તુત નિબંધમાં એટલું તે નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કોઈ પણ એક પક્ષ તરફન ઢળતાં શ્રીમદ્રાજચંદ્ર'માંનાં લખાણને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org